પંજાબ કોંગ્રેસમા ચાલી રહેલા વિખવાદ મામલે અધ્યક્ષ સોનિયાગાંધીને સોંપાયેલા રિપોર્ટમાં CM તરીકે કેપ્ટન અમરિંદરને જાળવી રાખવાની ભલામણ કરાઈ છે.
પંજાબ કોંગ્રેસમાં વિખવાદ અંત તરફ
વિવાદને ખતમ રચાઈ હતી કમિટી
સિદ્ધુને ડેપ્યુટી CMનો હોદ્દો મળી શકે
પંજાબમાં મુખ્યમંત્રી અમરિંદર સિંહ જ `કેપ્ટન' રહેશે તેવા સ્પષ્ટ સંકેત મળી ગયા છે, નવજોત સિંહ સિદ્ધુ અને કેપ્ટન અમરિંદર વચ્ચે ઊભા થયેલા વિવાદને ખતમ કરવા માટે 3 સભ્યોની કમિટીએ સોનિયા ગાંધીને પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે.
આપને જણાવી દઈએ કે, પંજાબ કોંગ્રેસનો આંતરકલહ શમાવવાની કવાયત હવે પૂર્ણતા તરફ છે, કેપ્ટન અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચેના વિવાદને સમાપ્ત કરવા માટે જે રચાયેલી કમિટીના મેમ્બરે સોનિયા ગાંધીને પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે.
આ સમિતિમાં મલ્લિકાર્જુન ખડગે, હરિશ રાવત અને જયપ્રકાશ અગ્રવાલ સામેલ હતા, મીડિયા રિપોર્ટમાં એવુ જણાવવામાં આવી રહ્યું છે કે, મોટાભાગના ધારાસભ્યોએ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહના નેતૃત્વ પર વિશ્વાસ દર્શાવ્યો છે.
એ પછી એ નક્કી જ થઈ ગયું છે કે, અમરિંદર સિંહ જ પંજાબ કોંગ્રેસનો ચહેરો બની રહેશે, જો કે બીજી તરફ નવજોત સિંહ સિદ્ધુને પણ નારાજ કરવાનું પંજાબ કોંગ્રેસને પોષાય તેમ નથી આથી, નવજોત સિંહને પણ પંજાબ કોંગ્રસમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવે તેવી પૂરી શક્યતા છે.
એવી પણ શક્યતા સેવાઈ રહી છે કે, નવજોત સિંહ સિદ્ધુને ડેપ્યુટી CM અથવાતો ઈલેક્શન કેમ્પેઈન કમિટીના અધ્યક્ષ પણ બનાવવામાં આવી શકે છે.