ગાંધીનગર: ખેડૂતોને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. ત્યારે હવે AHP દ્વારા દહેગામથી ગાંધીનગર સુધી ખેડૂતોની માગને લઈને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દહેગામથી ગાંધીનગર રેલી કરીને ખેડૂતો દ્વારા સરકારને આવેદન પત્ર પાઠવવામાં આવશે.
મહત્વનું છે કે હાલમાં દહેગામનું દૂધ અમદાવાદમાં જાય છે. અમદાવાદમાં લોકોને પુરતા ભાવ મળતા નથી. દહેગામનું દૂધ અમદાવાદના બદલે ગાંધીનગર મંડળીમાં જાય તેવી પશુપાલકો દ્વારા માગ કરવામાં આવી રહી છે. દૂધ ગાંધીનગર જવાથી પશુપાલકોને સારા ભાવ મળવાની અપેક્ષા છે.
આ ઉપરાંત સુજલામ સુફલામ યોજના હેઠળ કેનાલમાં પાણી આપવાની પણ પશુ પાલકોએ માગ કરી છે. આ મામલે રજૂઆતો કર્યા બાદ પણ કોઈ પરિણામ ન આવતા રેલી યોજવામાં આવી છે. આ રેલીમાં ધરપકડ કે અટકાયત થાય તો ખેડૂતો દ્વારા આંદોલન ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ખેડૂતોની વહારે આવ્યું છે અને દહેગામથી દહેગામથી રાજ્યના પાટનગર ગાંધીનગર સુધી ખેડૂતોની માગને લઇને એક રેલી પણ યોજી છે. આ રેલીનો હેતુ ખેડૂતોના પ્રશ્નો અંગે સરકારનું ધ્યાન દોરવાનો છે.