ઓમિક્રોનના વધતા કેસને લઈને અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન તરફથી ગુજરાત સરકારને પત્ર લખી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
ઓમિક્રોન વધતા કેસ મામલે AHNAએ સરકારને લખ્યો પત્ર
વધતા ઓમિક્રોન સામે કડક કામગીરી કરવા સૂચનો આપ્યા
પત્ર લખી AHNAએ ગંભીરતા દાખવવા કર્યું સૂચન
દેશ સહિત અનેક રાજ્યો હજુ પણ કોરોનાનો ભય યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે નવા વેરિએન્ટ ઓમિક્રોમે દેશવાસીઓની ચિંતા વધારી છે. ઓમિક્રોન કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ગુજરાતમાં પણ ઓમિક્રોનના 23 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે ત્યારે ઓમિક્રોનના વધતા કેસને લઈને AHNAએ સરકારને પત્ર લખ્યો છે, અને કહ્યું છે કે એરપોર્ટ પર ઢીલાશ જોવા મળે છે તે મુશ્કેલી સર્જી શકે છે. વિદેશથી આવતા મુસાફરોનું સઘન ચેકિંગ અને ટેસ્ટિંગ કરવાની પત્રમાં અપીલ કરવામાં આવી છે. વધતા ઓમિક્રોનને સામે કડક કામગીરી કરવા પત્રમાં સૂચન કરવામાં આવ્યું છે.
વધતા ઓમિક્રોન સામે કડક કામગીરી કરવા સૂચનો આપ્યા
AHNAએ સરકારને લખેલા પત્રમાં સૂચન કરતા કહ્યું છે કે ખાનગી હોસ્પિટલમાં દર્દીના સગાઓને વેક્સિન વગર નો એન્ટ્રી હોવી જોઈએ, એટલું જ નહીં દર્દીના સગાએ વેક્સિનના બે ડોઝ લીધા હશે તો જ એન્ટ્રી મળશે તેવું નિર્દેશ કર્યો છે. ઓમિક્રોન માટે હાલ 80 ખાનગી હોસ્પટલોમાં 2500 બેડ તૈયાર છે ત્યારે કોરોના સાથે ઓમિક્રમ વેરિએન્ટનો પણ ખતરો મંડારાયેલો જોવા મળી રહ્યો છે જેને લઈને અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન તરફથી ગુજરાત સરકારને પત્ર લખી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
શાળાઓમાં કોરોનાના કેસમાં વધારો
કોરોનીની ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થશે તેવી આગાહી કરવામાં આવી રહી હતી તે જોતા હવે શાળાના બાળકો વધુ સંક્રમિત થઈ રહ્યા છે. આજે પણ અમદાવાદની વધુ બે શાળાઓના બાળકો સંક્રમિત થયા છે. શહેરમાં આવેલી મહારાજા અગ્રસેન અને સત્વ વિકાસ સ્કૂલના બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેની જાણ તંત્રને કરાતા બંને શાળાઓને 10 દિવસ સુધી વર્ગો 10 દિવસ સુધી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં અમદાવામાં જે શાળાઓમાં બાળકો પોઝિટિવ આવ્યા છે તેમાં નિરમા સ્કૂલ, ઉદગમ સ્કૂલ, આનંદ નિકેતન સ્કૂલ, અમદાવાદ ઈન્ટરનેશલ સ્કૂલનો પણ સમાવેશ થાય છે જ્યારે આજે મહારાજા અગ્રસેન અને સત્વ વિકાસ સ્કૂલમાં પણ બાળકો પોઝિટિવ આવ્યા છે.જેને લઈને હવે કોરોના પ્રત્ય બેજવાબદારી ભારે પડી શકે છે તેવું લાગી રહ્યું છે.
સુરતમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધ્યું
આ તરફ વિદેશની આવતા લોકોનામાં કોરોના સંક્રમણ અને ઓમિક્રોન વેરિએન્ટ વધુ જોવા મળે છે ત્યારે સુરતમાં લંડનથી સુરત આવેલા યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જો કે તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલી દેવામાં આવ્યા છે, 11 ડિસેમ્બરે લંડનથી કુવૈત થઈ આ યુવક દિલ્હી આવ્યો હતો જ્યાં એરપોર્ટ ઉપર તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જે બાદ સુરતમાં યુવક હોમ ક્વોરેન્ટાઈન કરાયો હતો, જો કે 7 દિવસ બાદ ફરી ટેસ્ટ કરાતા યુવક કોરોનાગ્રસ્ત જણાતા તેના સેમ્પલ જીનોમ સિકવન્સિંગ માટે મોકલી દેવાયા છે. અહીં એ પણ ઉલ્લેખનિય છે કે 170 દિવસ બાદ આજે સુરતના ભટાર વિસ્તારમાં એક વૃદ્ધનું કોરોનામાં મોત નિપજ્યું છે. મૃતક વૃદ્ધે કોરોના વેક્સિનનો એક પણ ડોઝ ન લીધો હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે. આ ઉપરાંત સુરતમાં UKથી આવેલા એક વ્યક્તિ 7 દિવસ ક્વોરોન્ટાઇન રહ્યા બાદ પોઝિટિવ આવ્યા છે. તંત્ર દ્વારા આ વ્યક્તિના સેમ્પલ લઇ જીનોમ સિક્વોન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.
રાજકોટમાં કોરોના વાયરસની દહેશત
આર.કે.યુનિવર્સિટીમાં કોરોનાના વધુ 3 કેસ નોંધાયા છે, બાંગ્લાદેશ અને નેપાળના 3 વિદ્યાર્થીને કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આ યુવાનો ઓમિક્રોન ચેપગ્રસ્ત યુવાન સાથે એક જ બિલ્ડિંગમાં રહેતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જો વાત કરવામાં આવે તો એક દિવસમાં રાજકોટ શહેરમાં કોરોનાના 15 પોઝિટિવ કેસ નોંધાયા છે તો મોદી સ્કૂલના વિદ્યાર્થીઓમાં પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તરફ આત્મીય કોલેજના પ્રોફેસરનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.
DEO દ્વારા તમામ શાળાના આચાર્યોને સૂચના
રાજ્યમાં ધીમે ધીમે કોરોના કેસોમાં વધારો થઇ રહ્યો છે. કોરોનાના કેસો વધતાની સાથે રાજ્યનું શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. રાજ્યના શિક્ષણ વિભાગે તમામ શિક્ષકોએ વેક્સિન લીધી છે કે નહીં તેની ચકાસણી કરવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્ર જિલ્લાના તમામ DEOને મોકલી આપવામાં આવ્યો છે. DEO દ્વારા તમામ શાળાના આચાર્યોને વેક્સિનના બંને ડોઝ શિક્ષકોએ લીધા છે કે નહીં તેની ચકાસણી કરવા માટે સૂચના આપી છે. આચાર્યએ વેક્સિન લીધી છે કે નહીં તેની ચકાસણી કરી રિપોર્ટ સોંપવાનો રહેશે. ખોટો રિપોર્ટ આપનાર આચાર્ય સામે શિક્ષણ વિભાગ પગલાં લેશે.