અમદાવાદમાં ફરી રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ ખોરવાયું છે. હોમ ક્વોરન્ટાઇન દર્દીઓને ઇન્જેક્શન આપવાનું બંધ કરવામાં આવ્યું છે. AHNAના પ્રમુખ ડૉક્ટર ભરત ગઢવીનો મોટો આક્ષેપ કર્યો છે. કોર્પોરેશનના અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાનો આરોપ લગાવ્યો છે. ડૉક્ટર ભરત ગઢવીએ કહ્યું કે, એક જ વખતે 450 ઇન્જેક્શનનો જથ્થો આપવામાં આવ્યો છે. ત્યારે પોતાની જ જાહેરાત બાદ AMCએ પલટો માર્યો છે.
શું છે AHNA
અમદાવાદમાં રેમડેસિવિર ઈન્જેક્શનની માગણી રોજબરોજ વધી રહી છે. હાલમાં મોટાભાગના ઈન્જેક્શન હોસ્પિટલમાં દર્દીઓને સારવાર દરમિયાન આપવામાં આવી રહ્યા છે. પરંતુ 15 એપ્રિલે તંત્રએ રેમડેસિવિર મામલે નવો આદેશ કર્યો છે. જેમાં હોમ આઈસોલેટેડ દર્દીઓને પણ ઈન્જેક્શનની જરૂર પડશે તો આપવામાં આવશે. હોસ્પિટલની સાથે હોમ આઈસોલેટેડ દર્દીઓને પણ તબીબોની સૂચના મુજબ ઈન્જેક્શન આપવામાં આવશે. આ અંગેનો પરિપત્ર પણ જાહેર કરાયો છે.
ક્યાંથી મળશે ઈન્જેક્શન
અમદાવાદ કોર્પોરેશનની પાત્રતા પ્રમાણે કોરોના પોઝિટીવ દર્દીને કે, જે હોમ આઈસોલેશનમાં છે. તેમને પણ અમદાવાદ હોસ્પિટલ, નર્સિંગ એસોસિએશ અને હોસ્પિટલો દ્વારા રેમડેસિવિર ઈન્જેક્શન અપાશે.
કચ્છની મુલાકાત દરમિયાન CM વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યની સ્થિતિ પર રોજ અવલોકન થઈ રહ્યું છે. સ્થિતિ વણસી તો 20 શહેર ઉપરાંત રાત્રી કર્ફ્યૂ લગાવાશે. આ સાથે કચ્છને 2000 બેડની હોસ્પિટલ ફાળવાશે તેની પણ જાહેરાત કરી હતી.
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહેલા જામનગર અને પછી કચ્છની મુલાકાતે હતી. રાજ્યના અલગ-અલગ જિલ્લામાં મુખ્યમંત્રી દ્વારા સ્થિતિનું આંકલન કરવામાં આવી રહ્યું છે. કચ્છની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું, રાજ્યમાં રોજ ટેસ્ટિંગ વધારવામાં આવી રહ્યા છે. અને ટેસ્ટિંગ વધતા કેસનું પ્રમાણ પણ વધવાનું છે. પરંતુ જે લોકોને કોરોના સંક્રમણ લાગ્યું છે. તેમને અન્ય લોકોથી દૂર આઈસોલેટ કરવાની કામગીરી થઈ રહી છે. કચ્છમાં ટેસ્ટ વધારવાની સાથે 24 કલાકમાં તેનું પરિણામ આપવામાં આવશે. જેના માટે નવું મશિન ભૂજને આપવામાં આવ્યું છે. સાથે કચ્છમાં 80 જેટલા નવા વેન્ટિલેટર આપવામાં આવશે.