રાજ્યમાં એકતરફ કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે અને સારવાર માટે ઉપયોગમાં આવતી દવા અને વેન્ટિલેટર અને ઓક્સિજનની અછત સર્જાઇ હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે અમદાવાદ માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે.
અમદાવાદીઓ માટે ચિંતાજનક સમાચાર
AHNAને રેમડેસિવિરનો જથ્થો આપવાનું AMCએ કર્યું બંધ
15 એપ્રિલથી નથી આપ્યા ઇન્જેક્શનનો જથ્થો
મળતી જાણકારી પ્રમાણે, એક તરફ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત જોવા મળી રહી છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં મનપા દ્વારા 15 એપ્રિલથી AHNAને(Ahmedabad Hospitals & Nursing Homes Association) રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો આપવાનું બંધ કર્યું છે.
AHNAએ લીધો મહત્વનો નિર્ણય
જો કે, આ મામલે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા AHNAને જાણ કરાઇ નહોતી. ત્યારે આ મામલે AHNAના ડોક્ટર વિરેન શાહે જણાવ્યું હતું કે,મનપાનું આ પ્રકારનું વલણ ખૂબ જ ખરાબ કહેવાય. જો રેમડેસિવિર ઇન્જેક્શન ના મળવાથી સ્થિતિ વિકટ બનશે. આ સાથે જ તેમણે એવું પણ કહ્યું હતું કે, AHNA હવેથી હોમ કેર દર્દીઓની સારવાર નહીં કરે.
AHNAના પ્રમુખ ડૉક્ટર ભરત ગઢવીનો AMC પર કર્યો હતો મોટો આક્ષેપ
અમદાવાદમાં હોમ ક્વોરન્ટાઇન દર્દીઓને રેમડેસિવિર આપવાનું બંધ કરાયું, AHNAના પ્રમુખ ડૉક્ટર ભરત ગઢવીનો AMC પર મોટો આક્ષેપ કર્યો હતો. અમદાવાદમાં ફરી રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ ખોરવાયું છે. હોમ ક્વોરન્ટાઇન દર્દીઓને ઇન્જેક્શન આપવાનું બંધ કરવામાં આવ્યું છે. AHNAના પ્રમુખ ડૉક્ટર ભરત ગઢવીનો મોટો આક્ષેપ કર્યો છે. કોર્પોરેશનના અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાનો આરોપ લગાવ્યો છે. ડૉક્ટર ભરત ગઢવીએ કહ્યું કે, એક જ વખતે 450 ઇન્જેક્શનનો જથ્થો આપવામાં આવ્યો છે. ત્યારે પોતાની જ જાહેરાત બાદ AMCએ પલટો માર્યો છે.
શું છે AHNA?
પચાસ કિલોમીટરની ત્રિજ્યામાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોની તમામ સભ્ય હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સમાં એકતા અને ભાઈચારાને પ્રોત્સાહન આપવાના હેતુથી અમદાવાદ હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ એસોસિએશનની સ્થાપના કરવામાં આવી છે.
રાજ્યમાં સોમવારે નોંધાયા છે 11,403 નવા કેસ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 11,403 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણએ 117 લોકોના મોત નિપજ્યા છે આ સાથે જ 4,179 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,41,724 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 117 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5494 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 341 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 68,754 પર પહોંચ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 4207 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 51 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1879 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 484 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 436 કેસ, જ્યારે ગ્રામ્યમાં 189 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 663 કેસ અને ગ્રામ્યમાં 98 કેસ નોંધાયા છે.