કોરોનાની મહામારી વચ્ચે રાજ્યમાં મોટાભાગના મંદિરો ખુલી ગયા છે. પરંતુ અમદાવાદમાં આવેલ સુપ્રસિદ્ધ કેમ્પનું હનુમાનનું મંદિર હજુ સુધી ખુલ્યું નથી. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ શાહિબાગ વિસ્તારમાં આવેલ કેમ્પ હનુમાન મંદિરનું સ્થળાંતર કરવામાં આવે તેવી શક્યતા છે.
અમદાવાદના કેમ્પના હનુમાનને લઇ મોટા સમાચાર
કેમ્પ હનુમાન મંદિરનું થઇ શકે છે સ્થળાંતર
આર્મી ઓર્થોરિટી-મંદિર ટ્રસ્ટી મંડળોની ક્વાયત
અમદાવાદના કેમ્પના હનુમાનને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે. કેમ્પ હનુમાન મંદિરનું સ્થળાંતર કરવામાં આવે તેવી શક્યા છે. જેને લઇને આર્મી ઓથોરિટી અને મંદિર ટ્રસ્ટી મંડળોની કવાયત ચાલી રહી છે.
જો કે પ્રાપ્ત મળતી વિગત અનુસાર આર્મી કેમ્પ આવેલ આ હનુમાન મંદિરને શાહીબાગ રિવરફ્રન્ટ પર મંદિરના સ્થળાંતરની ચર્ચા કરવામાં આવી રહી છે. હાલમાં કોરોનાકાળમાં સરકાર દ્વારા મંદિરો ખોલવાની મંજૂરી આપી હોવા છતા કેમ્પ હનુમાન મંદિર કન્ટેઇનમેન્ટ સંવેદનશીલ જગ્યાએ હોવાથી હજુ પણ ખોલવામાં આવ્યું નથી.
હાલમાં કેમ્પ હનુમાન મંદિર તાત્કાલિક ખોલવા માટે ચેરિટી કમિશનરે આદેશ આપ્યો હતો. જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમ સાથે મંદિર ખોલવા આદેશ અપાયો હતો. અંદાજે છેલ્લા 7 મહિનાથી કેમ્પ હનુમાનનું મંદિર બંધ છે.