અમદાવાદના રાજપથ, કર્ણાવતી ક્લબમાં મેમ્બરશીપ લેવી મોંઘી થશે. બંન્ને ક્લબોએ મેમ્બરશીપના ભાવમાં વધારો કર્યો છે.
મેમ્બરશીપના ભાવ વધાર્યા
30 લાખ રૂપિયા નક્કી કર્યા
1 એપ્રિલથી નવા ભાવ અમલમાં
અમદાવાદના એસ.જી હાઇવે પર આવેલ કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબે મેમ્બરશીપના ભાવમાં ફેરફાર કર્યો છે. મેમ્બરશીપ માટે બંન્ને ક્લબોએ 30 લાખ રૂપિયા નક્કી કર્યા છે. આ નવા ભાવ 1 એપ્રિલથી અમલમાં આવશે. આ સાથે જ રાજપથ ક્લબે ગેસ્ટ એન્ટ્રી ફી યથાવત રાખી. જ્યારે કર્ણાવતી ક્લબે ગેસ્ટ એન્ટ્રી ફી ડબલ કરી દીધી છે.
કર્ણાવતી ક્લબે ગેસ્ટ એન્ટ્રીના ભાવ પણ વધાર્યા
રાજપથ અને કર્ણાવતી ક્લબે વ્યક્તિગત મેમ્બરશીપના રૂ.35 લાખ કરી દીધા છે. આ ઉપરાંત વિવિધ એક્ટિવિટીના ભાવમાં પણ ત્રણ ગણો વધારો કર્યો છે. સાથે મેમ્બરની સાથે આવતા ગેસ્ટની એન્ટ્રીના ભાવમાં કર્ણાવતી ક્લબે બે ગણો વધારો કર્યો છે. જ્યારે રાજપથ ક્લબે પોતાના મેમ્બર સાથે આવતાં ગેસ્ટ માટેની એન્ટ્રી ફીના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. કર્ણાવતી કલબે એપ્રિલથી મે દરમિયાન સોમથી શુક્ર દરમિયાન ગેસ્ટ એન્ટ્રીના રૂ. 75 કરી દીધા છે, જ્યારે શનિ- રવિ તેમજ જાહેર રજાના દિવસે ગેસ્ટ એન્ટ્રી માટે રૂ.150 ચૂકવવા પડશે.