AMCની હદમાં જાહેર માર્ગો પર ગાયો રખડતી જોવા મળે છે જેની સામે CNDC વિભાગ પગલાં ભરવામાં નિષ્ફ્ળ. ઢોર ત્રાસ નિવારણ વિભાગ દ્વારા અત્યાર સુધી 5263 ઢોર પકડાયાનો દાવો
રખડતા -રઝળતા ઢોર મુદ્દે ઠેરના ઠેર
રઝળતા પશુઓથી નાગરીકો પરેશાન
AMCને પછી હાઈકોર્ટ ફટકારે છે
અમદાવાદ મહાનગર પાલિકા ના સત્તાધીશોને અમદાવાદ શહેરને રખડતા ઢોર ના ત્રાસ માંથી મુક્ત કરવા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે હાકલ કરી હતી જોકે સ્થિતિ ઠેર ની ઠેર છે.આજે પણ અમદાવાદ મહાનગર પાલિકાની હદમાં જાહેર માર્ગો પર ગાયો રખડતી જોવા મળે છે જેની સામે CNDC વિભાગ પગલાં ભરવામાં નિષ્ફ્ળ ગયું છે. સૂત્રો તરફ થી મળતી માહિતી પ્રમાણે CNDC વિભાગના અધિકારીઓ અને ઢોર માલિકોની મિલી ભગતને પરિણામે અમદાવાદ શહેરને ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળતી નથી માત્ર શાસકો મોટી મોટી વાતો કરી ને છટકી જાય છે જેને પરિણામે નિર્દોષ વાહન ચાલકો અને રાહદારીઓ રખડતા ઢોરો ને કારણે અકસ્માત નો ભોગ બની રહ્યા છે પણ તેમની વાત સાંભળનાર નથી
'શેઠની શિખામણ ઝાંપા સુધી' જેવો ઘાટ
અમદાવાદ મહાનગર પાલિકા માં બીજેપી એ સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ પ્રદેશ બીજેપી પ્રમુખ સી આર પાટીલ દ્વારા સત્તાધીશો ને હાકલ કરાઈ હતી કે અમદાવાદ શહેર ને રખડતા ઢોરો ના ત્રાસ માંથી મુક્ત કરવું જોઈએ. એ માટે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય આયોજન કરવા માં આવે જોકે શેઠ ની શિખામણ ઝાંપા સુધી અમદાવાદ શહેર ના સત્તાધીશો અને વહીવટી તંત્ર ને લાગુ પડે છે જાણે કે અમદાવાદ શહેર ના નાગરિકો ની કોઈ ની પડી નથી તેવું સ્પષ્ટ ચિત્ર અમદાવાદ શહેર માં જોઈ શકાય છે.
વાહનો વચ્ચે ઢોર કે ઢોર વચ્ચે વાહનો ?
અમદાવાદના ઘાટલોડિયા ,ચાંદલોડિયા ,વાડજ ,રાણીપ ,બાપુનગર ,રખિયાલ સહીત, શહેર ના મોટાભાગના વિસ્તારો માં જાહેર માર્ગો પર રખડતી ગાયો જોઈ શકાય શહેરના મોટાભાગના વિસ્તારો માં જાહેર માર્ગો પર રખડતી ગાયો જોઈ શકાય છે...જેને પરિણામે નિર્દોષ નાગરિકો અકસ્માત નો ભોગ બનતા હોય છે..આ વિસ્તારના નાગરિકોને રખડતા ઢોરોથી પારાવાર પરેશાની વેઠવી પડે છે
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બારોટનો દાવો
જોકે અમદાવાદ મહાનગર પાલિકા ની સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન હિતેશ બારોટે ટેલિફોનિક વાતચીત દરમ્યાન કહ્યું હતું કે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ઢોર ત્રાસ નિવારણ વિભાગ દ્વારા
ચાલુ વર્ષે અત્યાર સુધી 5263 ઢોર પકડવા માં આવ્યા છે.જે પૈકી 10 ટકા ઢોર છોડાવવા માટે માલિકો આવતા હોય છે..માત્ર 551 ઢોરને છોડાવવા માટે માલિકો આવ્યા છે .જયારે 3300 થી વધુ ઢોર ને પાંજરાપોળ માં મોકલવામાં આવ્યા છે.35 લાખ થી વધુ નો દંડ પશુપાલકો પાસેથી વસૂલવા માં આવ્યો.1200 થી વધુ પશુઓના નિભાવનો ખર્ચ 4 કરોડ થી વધુ AMC ભોગવે છે.તેમણે વધુમાં કહ્યું હતું કે મોટાભાગ ના પશુપાલકો દુધાળા ઢોર સિવાય ના ઢોર છોડાવવા માં રસ લેતા નથી ત્યારે આગામી સમય માં અમદાવાદ શહેર રખડતા ઢોરો ના ત્રાસ માંથી મુક્તિ મળે તે માટે
અમદાવાદ શહેરથી દૂર માલધારીઓ તેમના ઢોર રાખી તે પ્રકાર ની વ્યવસ્થા ને લઈ રાજય સરકાર સાથે ચર્ચા ચાલી રહી છે..જેનો ટૂંક સમયમાં ઉકેલ લાવવા માં આવશે મહત્વપૂર્ણ બાબત તો એ છે બીજેપી ના શાસકો માત્ર વાતો જ કરશે કે પછી ખરેખર અમદાવાદ શહેર ને રખડતા ઢોરોના ત્રાસ માંથી મુક્તિ અપાવશે કે પછી મતબેન્ક ની લાલચે સમાજ ને સાચવવા નું કામ કરશે તે એક મોટો પ્રશ્ન છે