અમદાવાદમાં ઇ-કાર માટે પહેલું ચાર્જિંગ સ્ટેશન તૈયાર, કર્ણાવતી ક્લબમાં ઇલેક્ટ્રીક કારનું ચાર્જિંગ સ્ટેશન શરૂ
ઇ-કાર માટે ચાર્જિંગ સ્ટેશન તૈયાર
કર્ણાવતી ક્લબમાં ચાર્જિંગ સ્ટેશન શરૂ
ચાર્જિંગ થતા 2 કલાકનો સમય લાગશે
રાજ્ય સરકારે ઇલેક્ટ્રીક વાહનો માટે પોલિસી જાહેર કરી છે ત્યારે સરકાર દ્વારા ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, શહેરમાં હવે ઈલેક્ટ્રીક વાહનોની સંખ્યા વધી રહી છે ત્યારે શહેરમાં ઈલેક્ટ્રીક વાહનનો ધરાવનાર લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે.
કર્ણાવતી ક્લબમાં ચાર્જિંગ સ્ટેશન શરૂ
અમદાવાદમાં ઇ-કાર માટે પહેલું ચાર્જિંગ સ્ટેશન તૈયાર થઇ ગયું છે ત્યારે કર્ણાવતી ક્લબમાં ઇલેક્ટ્રીક કાર તે મજ વાહનોનું ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. હવે શહેરીજનો માટે ઇ-કાર, ઇ-રીક્ષાઓ સહિતના ઇલેક્ટ્રીક વાહનોનું ચાર્જિંગ થઈ શકેશે આ ચાર્જિંગ સ્ટેશન પર વાહનનું ચાર્જિંગ 100 ટકા થતા 2 કલાકનો સમય લાગશે તેમજ આ ક્લબના સભ્યો આ સ્ટેશનનો વિના મૂલ્યે ઉપયોગ કરી શકશે.
ચાર્જિંગ થતા 2 કલાકનો સમય લાગશે
મહત્વનું છે કે દેશ અને રાજ્યા પ્રદુષણનું સ્તર ઓછું કરવા અને સરકારે ઇલેક્ટ્રીક વાહનો માટે પોલિસી જાહેર કરી છે જેના કારણે ઈંધણ સહિતની વપરાશ કેટલાક અંશે ઘટશે, દેશ અને રાજ્યમાં મોંઘા થતા પેટ્રોલ ડીઝલના ભાવોએ વાહન ચાલકોનું ટેક્શન વધાર્યું છે, ત્યારે હવે લોકો ઈલેક્ટ્રીક વાહનો તરફ વળી રહ્યા છે. આમ હવે શહેરમાં પહેલું ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવતા શહેરીજનો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.