અમદાવાદમાં AMC સંચાલિત હોસ્પિટલોમાં ભોજનના બીલને લઈને ભારે વિવાદ થયો છે. કારણકે દરેક હોસિટલોના ભોજનનું મેનું સરખું છે. પરંતુ ભાવમાં જમીન આસમાનનો ફરક જોવા મળ્યો છે.
અમદાવાદની AMC સંચાલીત હોસ્પિટલો વિવાદમાં
કોરોના દર્દીઓના ભોજનના ખર્ચમાં મોટો તફાવત
સૌથી વધારે ભોજનનું બીલ SVP હોસ્પિટલે પાસ કરાવ્યું
અમદાવાદની AMC સંચાલિત હોસ્પિટલો વિવાદમાં આવી છે. કોરોનાકાળમાં હોસ્પિટલો દ્વારા દર્દીઓને જે ભોજન દર્દીઓને આપ્યું હતું. તેમાં મોટો તફાવત જોવા મળ્યો છે. એક RTIમાં ખુલાસો થયો છે કે AMC સંચાલિત હોસ્પિટલના ભોજન ખર્ચમાં તફાવત જોવા મળ્યો છે.
મેનું સરખા પરંતુ તફાવત મોટો
તમામ હોસ્પિટલનું મેનુ સરખુ પરંતુ ભાવમાં મોટો તફાવત છે. કોરોનાં દર્દી માટે AMC સંચાલિત હોસ્પિટલમાં જમવાની વ્યવસ્થા કરાઇ હતી. જેમાં LG હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં જમવાનું મેનુ સરખું હતું. હોસ્પિટલના મેનુમાં સવારે ચા-નાસ્તો, મગનું પાણી, બપોરના ભોજનમાં દાળભાત, શાક-કઠોળ, રોટલી અને દર્દીને બપોરે લીંબુ પાણી આપતું હતું,
SVP હોસ્પિટલે દર્દીના ભોજનનો ખર્ચ 3051 દર્શાવ્યો
સાંજે ચા નાસ્તો. જ્યારે રાત્રી ભોજનમાં શાક-રોટલી, ખીચડી-કઢીનું ભોજન અપાતું હતું. ત્યારે એક સરખું ભોજન છતા બધી હોસ્પિટલોએ બીલ અલગ-અલગ મુક્યા છે. જેમાં LG હોસ્પિટલે એક દર્દીના એક દિવસનો ખર્ચ 937 દર્શાવ્યો છે. જ્યારે SVP હોસ્પિટલે એક દર્દીના ભોજનનો ખર્ચે 3051 રૂપિયા. શારદાબેન હોસ્પિટલે એક દર્દીના ભોજનનો ખર્ચ 62 રૂપિયા અને SVP હોસ્પિટલમાં કુલ 18026 દર્દીઓએ સારવાર લીધી હતી.
LG હોસ્પિટલમાં 2012 દર્દીએ સારવાર લીધી
SVP હોસ્પિટલે દર્દીના ભોજન પાછળ 5.5 કરોડનો ખર્ચ કર્યો. જ્યારે L.G હોસ્પિટલમાં કુલ 2012 દર્દીએ સારવાર લીધી હતી અને ભોજન માટેનો ખર્ચ 18 લાખ 85 હજાર 408 રૂપિયા થયો. અને શારદાબેન હોસ્પિટલમાં 1143 દર્દીઓએ કોરોનાની સારવાર લીધી હતી.
સમગ્ર મામલે ઉઠ્યા સળગતા સવાલ
સમગ્ર મામલે સવાલ એ ઉઠી રહ્યા છે કે AMC સંચાલિત હોસ્પિટલમાં ભોજન એક સમાન તો બીલમાં તફાવત કેમ?. શું ભોજનના નામે લાખો-કરોડોની લૂંટ કરાઇ છે?. કોરોનાકાળમાં દર્દીઓના ભોજનના નામે ખિસ્સા ભર્યા?. કોરોનાકાળમાં પણ હોસ્પિટલ સંચાલકો પોતાનું ઘર ભરવાનું વિચારતા હતા?. AMC સત્તાધિશોની મીલિભગતથી હોસ્પિટલોએ લૂંટ ચલાવી છે?. AMC સત્તાધિશોને આ અંગે કોઇ જાણ જ નથી?. કઇ હોસ્પિટલ કેટલો ખર્ચ કરે છે તે AMCને જાણ નથી?. દર્દીઓના ભોજનના નાણા કોણ હજમ કરી ગયું?.