અમદાવાદની સૃષ્ટી નામની સંસ્થાએ યુનિવર્સિટી વિસ્તારમાં એક માર્કેટ ઉભું કર્યું છે. જેમાં અનેક જિલ્લાઓમાંથી ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો અહીં આવે છે.રવિ -ગુરુવારે ભરાય છે બજાર
અમદાવાદમાં 'સૃષ્ટી'નું સર્જન
ઓર્ગેનિક શાકભાજી વેંચાય છે
ખેડૂતોનો માલ સીધો ગ્રાહકોને
ખેતીમાં સારા ઉત્પાદન માટે ખેડૂતો વધુ પડતી જંતુનાશક દવાઓ અને રાસાયણીક ખાતરનો ઉપયોગ કરતા થયા છે. અને તેની અસર લાંબા ગાળે લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે.. તેવામાં હવે સમય સાથે લોકો ઓર્ગેનિક વસ્તુઓ તરફ વળ્યા છે. પરંતુ ઓર્ગેનિક મળવું એક પડકાર છે. ત્યારે આવા લોકો સુધી ઓર્ગેનિક ખેત પેદાશ પહોંચી શકે.. અને ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને સારા ભાવ મળી રહે તે માટે અમદાવાદમાં એક સંસ્થાએ નિશુલ્ક અનોખો પ્રયાસ શરૂ કર્યો છે. કેવો છે આ પ્રયાસ અને કેટલા પ્રમાણમાં ઓર્ગેનિકને લોકો પસંદ કરી રહ્યા છે
અઠવાડિયામાં બે દિવસની બજાર
કેન્દ્રીય બજેટમાં તાજેતરમાં જ સરકારે પ્રાકૃતિક ખેતી પર ભાર મુક્યો. અને આ માટે બજેટ પણ ફાળવાયું. ત્યારે વીટીવીની ટીમ અમદાવાદમાં એક એવા માર્કેટ સુધી પહોંચી જ્યાં અઠવાડિયામાં બે દિવસ ઓર્ગેનિક ખેતપેદાશનું માર્કેટ ભરાય છે. આપણે ત્યાં ગુજરાતમાં અનેક ખેડૂતો એવા છે જે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પરંતુ તેમને યોગ્ય પ્લેટફોર્મ નથી મળતું.. ત્યારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે અમદાવાદની સૃષ્ટી નામની સંસ્થાએ યુનિવર્સિટી વિસ્તારમાં એક માર્કેટ ઉભું કર્યું છે. જેમાં અનેક જિલ્લાઓમાંથી ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો અહીં આવે છે. અને રવિવાર તેમજ ગુરુવારના દિવસે ઓર્ગેનિક શાકભાજી અને અન્ય ખેત ઉત્પાદન અહીં લોકોને વેચી સારી આવક મેળવે છે.
'રાસાયણિક દવાનો ઉપયોગ નહિ. જેવા કડક નિયમ
જોકે સૃષ્ટી નામની સંસ્થા દ્વારા નિશુલ્ક શરૂ કરાયેલી આ 2 દિવસીય માર્કેટમાં કોઈપણ લોકોને એન્ટ્રી નથી મળતી. માત્ર એવા ખેડૂતોને એન્ટ્રી મળે છે જેઓ ઓર્ગેનિક ખેતી કરે છે.. આ માટે કેટલાક માપદંડ પણ છે.. સંસ્થાના નિયમ પ્રમાણે, ખેડૂત 3 વર્ષ સુધી કોઈપણ જંતુનાશક દવા અને સારાયણિક ખાતરનો ઉપયોગ નથી કરી શક્તો. અને 3 વર્ષ બાદ સંસ્થા જમીન અને પ્રોડક્ટનું ટેસ્ટિંગ કરે છે. અને આ ટેસ્ટિંગમાં ખેડૂતની ખેતપેદાશ ઓર્ગેનિકના માપદંડમાં યોગ્ય સાબિત થાય તો સંસ્થા તે ખેડૂતને પોતાની ખેતપેદાશ વેચવા માટેનું પ્લેફોર્મ પુરુ પાડે છે.. અમે અહીં કેટલાક ખેડૂતો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો. જેઓ પોતાની ખેતપેદાશ અહીં વેચવા યુનિવર્સિટી ખાતે ભરાતી આ માર્કેટમાં રાજ્ય ભરમાંથી ખેડૂતો શાકભાજી, કઠોડ, તેલીબિયા, સહિતની તમામ ખેતપેદાશો વેચવા માટે આવે છે.
કોઈ કમિશન કે નાણા નથી લેવાતા
સૌથી ખાસ વાત તો એ છે કે, અહીં ઓર્ગેનિક ખેતપેદાશો વેચવા માટે ખેડૂતો જાતે જ આવે છે.. અને તેમની પાસેથી કોઈપણ પ્રકારનું કમિશન કે, પૈસા લેવામાં નથી આવતા. આ સંસ્થાનો ઉદ્દેશ્ય માત્ર લોકોને ઓર્ગેનિક અને શુદ્ધ વસ્તુઓ મળી રહે તે છે. જોકે આ માર્કેટમાં ખરીદી માટે પણ ખુબ મોટી સંખ્યામાં લોકો ઉમટે છે..અહીં આવતો ખેડૂત ક્યારેય પોતાની વસ્તુઓ ઘરે પરત લઈને નથી ફરતો