અમદાવાદનાં લાલા દરવાજા બસ સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી છે. ત્યારે 65 વર્ષ જૂના બસ સ્ટેન્ડનું હેરિટેજ થીમ પર લાલ દરવાજા બસ સ્ટોપનું નવીનીકરણ કરવામાં આવ્યું છે.
લાલ દરવાજા AMTS બસ સ્ટોપની કાયાપલટ
હેરિટેજ થીમ પર લાલ દરવાજા બસ સ્ટોપનું નવીનીકરણ
5 જૂનના રોજ CM બસ સ્ટોપનું કરશે લોકાર્પણ
અમદાવાદ શહેરનાં લાલા દરવાજા AMTS બસ સ્ટોપની કાયાપલટ કરવામાં આવી છે. ત્યારે નવીન બનેલ બસ સ્ટોને હેરિટેજ થીમ પર નવીનીકરણ કરવામાં આવ્યું છે. હેરિટેજ સીટી અમદાવાદનું હેરિટેજ બસ સ્ટોપનું લોકાર્પણ 5 જૂનનાં રોજ મુખ્યમંત્રીનાં હસ્તે કરવામાં આવશે. લાલ દરવાજા બસ સ્ટોપ અમદાવાદીઓ માટે ટ્રાન્સપોટેશનનું મોટું હબ છે. ત્યારે બસ સ્ટેન્ડની અંદર અમદાવાદના તમામ સ્થળોએ હેરિટેજ સ્થળોની પ્રતિકૃતિ મુકવામાં આવી છે.
60 બસ સાથે AMTS બસ સેવા શરૂ કરાઈ હતી
AMTS નો ઈતિહાસ જોઈએ તો આઝાદીનાં ચાર મહિનાં પહેલા બસ સેવા શરૂ થઈ હતી. ત્યારે 60 બસ સાથે AMTS બસ સેવા શરૂ કરાઈ હતી. ત્યારે હાલ 700 ઉપર બસની સંખ્યા પહોંચી ગઈ છે. હાલ AMTS એ શહેરની જીવાદોરી ગણાય છે. સમયની સાથે સાથે સુવિધામાં પણ ધીમે ધીમે AMTS અને AMC દ્વારા સુવિધામાં વધારો થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
આખું બસ સ્ટેન્ડ હેરિટેજ થીમ પર બનાવવામાં આવ્યું છેઃ હિતેષ બારોટ
આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન હિતેષ બારોટે જણાવ્યું હતું કે, અમદાવાદમાં લાલ બસ શરૂ થઈ ત્યારથી તે લાલ દરવાજાની ઓળખ હતી. લાલ દરવાજાનું બસ સ્ટેન્ડ રિનોવેશન કરવામાં આવ્યું છે. હેરિટેજ થીમથી ઉપરનાં માળે ઓફિસો તેમજ નીચે બસ સ્ટોપ બનાવવમાં આવ્યું છે. આશરે 10 કરોડનાં ખર્ચે આ બસ સ્ટોપ તૈયાર કરવામાં આવ્યું છે. આગામી 5 તારીખે મુખ્યમંત્રીના હસ્તે બસ સ્ટેન્ડનું લોકાર્પણ હાથ ધરવામાં આવશે. અમદાવાદને હેરિટેજ સીટીનો દરજ્જો મળેલ છે. જેને ધ્યાને લઈ આખું બસ સ્ટેન્ડે હેરિટેજ થીમથી બનાવવામાં આવ્યું છે. તેમજ અમદાવાદની મોટા ભાગની બસો ત્યાંથી પસાર થાય છે.