આપઘાત / ‘ક્રિશ, No કહેતાં શીખજે, મારી ના નહીં કહેવાની આદતે મને અહીં પહોંચાડ્યો’

ahmedabadi man suicide attempt in Ahmedabad

વ્યાજખોરોનો આતંક એટલો બધો વધી ગયો છે કે ગરીબ હોય કે ધનવાન તેમના ત્રાસથી કોઇ બચી શકતું નથી. પ૦૦ કરોડ કરતાં વધુનું ટર્નઓવર ધરાવતા અને સેટેલાઇટમાં રહેતા વરિયા એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના માલિક હિમાંશુ વરિયાએ ગઇ કાલે તેમની વટવા જીઆઇડીસી ખાતેની ઓફિસમાં વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવાની પીને આપધાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ છે. વર્ષ ર૦૧૦માં ૧૩ કરોડનું હેલિકોપ્ટર ખરીદનાર હિમાંશુ વરિયાએ ઝેર પીતાં પહેલાં સોશિયલ મીડિયામાં સ્યુસાઇડ નોટ લખી હતી. હાલ તેઓ એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

બ્રેકિંગ ન્યૂઝ