વ્યાજખોરોનો આતંક એટલો બધો વધી ગયો છે કે ગરીબ હોય કે ધનવાન તેમના ત્રાસથી કોઇ બચી શકતું નથી. પ૦૦ કરોડ કરતાં વધુનું ટર્નઓવર ધરાવતા અને સેટેલાઇટમાં રહેતા વરિયા એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના માલિક હિમાંશુ વરિયાએ ગઇ કાલે તેમની વટવા જીઆઇડીસી ખાતેની ઓફિસમાં વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવાની પીને આપધાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ છે. વર્ષ ર૦૧૦માં ૧૩ કરોડનું હેલિકોપ્ટર ખરીદનાર હિમાંશુ વરિયાએ ઝેર પીતાં પહેલાં સોશિયલ મીડિયામાં સ્યુસાઇડ નોટ લખી હતી. હાલ તેઓ એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
વ્યાજખોરોના આતંકથી સુસાઈડની કોશિશ
આપઘાત પહેલા લખી સ્યુસાઈડ નોટ
વોટ્સેપ પર કરી ફરતી
હિમાંશુ વરિયાએ સ્યુસાઇડ નોટ ટાઇપ કરીને વોટ્સએપ કરી હતી. ત્રણ મહિના પહેલા હિમાંશુએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામે અરજી કરી હતી.
વોટ્સએપ ગ્રૂપમાં લખેલી સ્યુસાઇડ નોટ
ધીરુકાકા
હું મારી લાઇથી કંટાળી ગયો હતો. એસબીઆઇના ડીજીએમ રમાકાંત તિવારીએ મારી રનિંગ ૫૦ વર્ષ જૂની કંપનીને એના ઇગોને લીધે સીડી-આર રિસ્ટ્રક્ચર્ડ કરી હતી. તો પણ એક વર્ષ સુધી જોઇન્ટ ડોક્યુમેન્ટ સાઇન ન કરવા દીધા. એટલે મારી ૫૦ વર્ષ જૂની કંપની અને ૨૫ વર્ષની મહેનત ટેકનિકલ એનપીએ થઇ ગઇ, એટલેથી ના અટકતાં એસબીઆઇના અધિકારીઓએ બ્રાન્ચનું એનપીએ ના દેખાય એટલા માટે સીડી-આર ની સ્કીમને જોઇન્ટ ડોક્યુમેન્ટ સાઇન કર્યા ન હતા તો પણ હાફ ઇમ્પ્લિમેન્ટ કરી એસબીઆઇની આ જ ભૂલને કારણે એસબીઆઇના ઓડિટર્સે કંપની ટેકનિકલ એનપીએ કરી. એમાં મારો કે મારી કંપનીના ૫૦૦ એમ્પ્લોઇ અને એમનાં ફેમિલીનો શું વાંક હતો?
કાકા પછી કંપનીને બચાવી અને ફરીથી શરૂ કરવાનાં ચક્કરમાં હું વ્યાજખોરના ચક્કરમાં આવ્યો અને ત્યાર બાદ હું એને વ્યાજ ભરવા માટે અમદાવાદના માથાભારે વ્યાજખોરોના ચક્કરમાં ક્યારે ફસાઇ ગયો એની મને ખબર જ ના પડી. મારો ફ્લેટ સુદ્ધાંએ લોકોએ લખાવી લીધો છે. મારી ગાડીઓ પણ લઇ લીધી છે. મારી વાઇફનાં ઘરેણાં તેમજ મારી મમ્મીનાં ઘરેણાં પણ એ લોકોના વ્યાજ ભરવામાં વેચાઇ ગયાં છે. મૂડી કરતાં ૧૦થી ૨૦ ગણું મેં વ્યાજ ચૂકવી દીધું છે પણ મને એ લોકો માનસિક ટોર્ચર કર્યા કરે છે.
એક વખત હતો જ્યારે અમારા સમાજના વર્ષમાં ૧૦ છોકરાને IASની પરીક્ષા માટે તમામ ખર્ચ ઉપાડનાર હિમાંશુ વરિયા આજે એને પોતાના છોકરાંની ફી ભરવાને લાયક પણ નથી રહ્યો. કાકા મને હતું કે હું બધું ઓકે કરી દઇશ પણ હવે ડીઆરટી, લિક્વેડિટર અને બેન્કના અધિકારીઓએ મળીને મારી ૫૦૦ કરોડથી પણ વધુ કિંમતની પ્રોપર્ટીને પાણીના ભાવે વેચી રહ્યા છે. એસબીઆઇના અધિકારીઓને કોઇ પૂછવાવાળું નથી કે કોના કેવાથી એસબીઆઇના અધિકારીઓએ સીડી-આર એપ્રૂવ્ડ કંપનીને એક વર્ષ સુધી ઇમ્પ્લિમેન્ટ ના કરી? સેજલને કહેજો એના ભાઇ તારક સાથે લંડન જતી રહે, ક્રિશને ભણાવે પણ ઇન્ડિયામાં ક્યારેય પણ પાછા ન આવે. અહીં સાચાને સાચા કહેવાના પૈસા લાગે છે અને ૫ લાખથી વધારે લોકોને રોજગાર ઊભો કરનારની પણ કોઇ કિંમત નથી.
ઘીરુકાકા આઇ એમ સોરી
આશા, અમર, વિનોદ, બાબુકાકા અને મારા પર ભરોસો રાખી મારો સાથ ના છોડી જનારા મારા મિત્રો અને એમ્પ્લોઇ બધાની હું માફી માગું છું. હવે મારાથી વ્યાજખોરોનો ત્રાસ સહન થતો નથી.
મમ્મી પપ્પા સોરી ક્રિશ લાઇફમાં NO (નો) કહેતાં શીખજે
મારી કોઇને ના નહીં પાડી શકવાની આદતને લીધે આજે મને વ્યાજખોરોએ અહીં સુધી પહોંચાડી લીધો છે. મમ્મી, દાદા અને બાનું ધ્યાન રાખજે.
ધીરુદાદાને સાથે રાખજે, આપડા કોઇ પણ રિલેટિવ પર ટ્રસ્ટ ના કરીશ. મામા અને મામી કહે અેમ કરજે. ધીરુકાકા સોરી હું રિયલમાં વ્યાજખોરોથી થાકી ગયો છું.