કોરોનાના કપરાકાળમાં મધ્યમવર્ગના અનેક લોકોના રોજગારી અને ધંધા મંદા પડ્યા છે. ત્યારે તાત્કાલિક રૂપિયા કમાવવા અમદાવાદનો એક યુવા ઉદ્યોગપતિએ એક શોર્ટકટ અપનાવ્યો છે. માણસના ગ્રહ ખરાબ હોય ત્યારે ગમે ત્યાં ભરાઈ જાય છે. તેવી રીતે માણસ ખોટા કામને અંજામ આપે છે. ત્યારે બદનામ જ થાય છે. વલસાડ ગ્રામ્યની એક ઘટના સામે આવી છે. અહીં અમદાવાદનો એક ઉદ્યોગપતિ બદનામ અને બે આબરૂ થયો છે.
અમદાવાદનો યુવા ઉદ્યોગપતિ દારૂની ખેપ મારતા ઝડપાયો
ઉદ્યોગપતિ વર્ષે કરોડોનું ટર્ન ઓવર કરતો હતો
હવે ના રહી ઈજ્જત કે ના રહ્યું સ્વમાન
રાહુલ નામનો યુવક જે અમદાવાદમાં એક કંપનીનો માલિક છે. પરંતુ બે દિવસ પહેલા એવો ભરાયો કે આજે અફસોસ કરી રહ્યો છે. માથે હાથ દઈને રડી રહી રહ્યો છે. રાહુલને પૈસાદાર થવું હતું. કોરોનાને કારણે ધંધો ચાલતો ન હતો અને બધુ ભાંગી પડયું હતું. આ માટે ઘરબેઠા પૈસા કમાવાનો પ્લાન કર્યો અને આ પ્લાન તેને જેલ સુધીને લઈ ગયો છે. પોલીસે 4.46 લાખનો મુદ્દમાલ જપ્ત કરી આગળની તપાસ તેજ કરી છે.
પીરાણામાં એક કેમિકલ કંપની ચલાવતો ખુદ કંપની સંચાલક હતો
મહારાષ્ટ્રથી દારૂની ખેપ મારતા પોલીસના હાથે ઝડપાયેલો આ કાર ચાલક કોઈ રીઢો બુટલેગર નહીં. પરંતુ અમદાવાદ નજીક પીરાણામાં એક કેમિકલ કંપની ચલાવતો ખુદ કંપની સંચાલક જ હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસે કારચાલક આરોપી રાહુલ દીપક શાહ અદાણીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
શોર્ટકટમાં પૈસા કમાવવા માટે દારૂની ખેપ મારવાની શરૂઆત કરી
પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે તે અમદાવાદના પીરાણા નજીક લોખંડવાલા એસ્ટેટમાં સના મસ્જિદ નજીક અનીશ ઓર્ગેનિક નામની કંપની ચલાવે છે. અમદાવાદના મિડોસ અદાણી શાંતિગ્રામમાં રહે છે. જોકે છેલ્લા કેટલાક સમયથી નોટ બંધી GST અને ત્યારબાદ આવેલા લોકડાઉનના કારણે કંપની ખોટમાં ચાલી રહી હતી અને દેવું વધી રહ્યું હતું. આથી આર્થિક સંકડામણથી કંટાળી તેણે શોર્ટકટમાં પૈસા કમાવવા માટે દારૂની ખેપ મારવાની શરૂઆત કરી હતી. અમદાવાદમાં મહારાષ્ટ્રના દારૂની માંગ વધારે હોવાનું હોવાને લીધે આરોપી કંપની સંચાલક રાહુલ દીપક શાહએ પૈસા કમાવવા માટે મહારાષ્ટ્ર વિદેશી દારૂનો જથ્થો ભરી અને જાતે જ કાર હંકારી અને અમદાવાદ સુધી દારૂની ખેપ મારવાની શરૂઆત કરી હતી. પહેલા જ ધક્કામાં આરોપી ઝડપાય ગયો છે.
આમ પોલીસે 4.46 લાખનો મુદ્દમાલ જપ્ત કરી લીધો છે અને આરોપીની ધરપકડ કરી છે. આરોપી સામે પ્રોહીબીશ્નનો ગુનો નોંધાયો છે. હાલ ગુજરાતમાં મહામારી છે. લોકો પોતાની પાસે રહેલા પૈસા જ કાઢતા નથી અને આવક પણ નથી. આ માટે માર્કેટમાં ઘોર મંદી છે. આ મંદીમાં અનેક પરિવાર બરબાદ થઈ ગયા છે. આજની કહાનીમાં એક વાત નોંધાવા જેવી છે મંદી કાયમી હોતી નથી. માટે મંદીના માર આવી ગમે તે ઘટનાને અંજામ આપતા પહેલા એક વખત વિચાર કરવો. એક વખત દામન પર દાગ લાગી જાય પછી જીવવાની મજા વિખાઈ જાય છે. આ વાત સત્ય છે.