લોકો જીવે કે મરે. અમારે શું. અમારા પૈસા તો પાકે છે ને. આ રીતિનીતિ સાથે અમદાવાદ શહેર ભ્રષ્ટાચારીઓના હાથની કઠપૂતડી બનતું જઈ રહ્યું છે અને નિર્દોષ લોકો તેનો ભોગ બની રહ્યાં છે. અમદાવાદના બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થયાની ઘટનાના પડઘા હજુ સમ્યા પણ નથી કે, ત્યાં તો નિકોલમાં ટાંકીની છત તૂટવાની ઘટના સામે આવી છે. જેણે ભ્રષ્ટાચારીઓની પોલંપોલ ખોલી નાખી છે. ત્યારે આખરે આ ભ્રષ્ટતંત્રની મેલી નીતિનું ગંભીર પરિણામ જુઓ આ અહેવાલમાં.
આજે તંત્રની પોલંપોલને ખુલ્લી પાડી રહ્યાં છે. તે પછી નગરપાલિકા હોઈ શકે કે મહાનગરપાલિકા. અહીં વાત થાય છે 12 ઓગસ્ટની. જ્યારે બોપલ (bopal) માં પાણીની ટાંકી તૂટતા 3 લોકોનાં મોત થયાં હતાં. જ્યારે બીજી ઘટના 19 ઓગસ્ટની છે. જેમાં પાણીની ટાંકીનો સ્લેબ (tank slab) ઘરાશાયી થતા 8 મજૂરો દટાયા હતાં. આ બંને ઘટનાને આધારે અમદાવાદીઓ જાણી શકે કે આખરે તેમના સ્માર્ટ સિટીમાં કેટલો ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે. કેવી રીતે આ ભ્રષ્ટાચારીઓના હાથમાં અમદાવાદ સોંપાતુ જઈ રહ્યું છે. કેવી રીતે તેમના પર મોત મંડરાઈ રહ્યું છે.
શહેરનાં નિકોલ (nikol) વિસ્તારમાં ભોજલધામ રેસિડેન્સી પાસે AMCની ટાંકી આવેલી છે. આજે આ ટાંકાની બાજુમાં પમ્પ હાઉસનું ધાબું ભરવા દરમિયાન એકાએક ધાબું ધરાશાયી થયું અને 8 મજૂરો તેની નીચે દટાઈ ગયા. તો બીજી તરફ ધાબું ધરાશાયી થતા જ ભાગદોડ મચી ગઈ. આસપાસમાં રહેતા લોકો પણ અચાનક ઘરોમાંથી દોડી આવ્યાં. ત્યારે અચાનક ડરનો માહોલ પૈદા થઇ ગયો. ક્યાંક લોકોમાં ડર જોવાં મળ્યો તો ક્યાંક દટાયેલા મજૂરોની ચિસમચિસ. જો કે સ્થાનિકાોએ અહીં હિંમત બતાવી અને તંત્ર પહોંચે તે પહેલા જ પહોંચી ફસાયેલા મજૂરોને બહાર કાઢ્યાં અને તેમને સારવાર અર્થે ખસેડાયા. તો બીજી તરફ તંત્ર પણ દોડી આવ્યું અને કાટમાળ ખસેડતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો.
જો કે અહીં મહાનગર પાલિકાની બેદરકારી પણ સામે આવી છે. સ્થાનિક કોંગ્રેસનાં કોર્પોરેટરે પાલિકા સામે ગંભીર આક્ષેપ લગાવ્યાં છે. મહત્વની બાબત તો એ છે કે, આટલી મોટી ઘટના ઘટી છતાં ન તો મેયરે ઘટના સ્થળની મુલાકાત લીધી અને ન તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કે ન તો મ્યુનિસિપલ કમિશ્નર ડોકાયા. ત્યારે હવે સવાલ એ ઉભો થાય છે કે, વિકાસની વાતો કરનારા અને વારે-તહેવારે ફોટા પડાવતા મેયર આખરે છે ક્યાં..?