અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં પાણીના કકળાટે એક યુવકનો જીવ લીધો છે. રાણીપ એસ ટી બસ સ્ટેન્ડ સામે ચાર અજાણ્યા શખ્સોએ એક યુવકની હત્યા કરી હતી.
રાણીપ એસ ટી બસ સ્ટેન્ડ સામે ચાર અજાણ્યા શખ્સોએ એક યુવકની હત્યા કરી હતી. હત્યા પાછળ ખેતરમાં ગટરનું પાણી રોકવા બાબતે થયેલી તકરારને જવાબદાર માનવામાં આવી રહી છે. મૃતક યુવકની 15 દિવસ પહેલા પાણી બાબતે કોર્પોરેશન અને સ્થાનિકો વચ્ચે અગાઉ પણ બોલાચાલી થઇ હતી અને ત્યાર બાદ આજે પાણી બાબતે થયેલા ઝઘડા બાદ ઉશ્કેરાયેલા શખ્સોએ ડપિંગ સાઇટ પર એક યુવકની હત્યા કરી હતી.
જો કે આ બાબતે પોલીસે 4 આરોપીઓ પૈકી એક આરોપીની ધરપકડ કરી છે. અન્ય આરોપીઓને શોધવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.