બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં 108 ઈમરજન્સી કોલમાં વધારો, વાસી ઉત્તરાયણના દિવસે નોંધાયા 3345 કોલ
Last Updated: 10:19 PM, 15 January 2025
ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે લોકો પતંગ ઉડાવીને મજા માણે છે. જે પૈકી ઘણા લોકો પતંગ ઉડાડવામાં ચાઈનીઝ દોરી અને કાચ પાયેલી દોરીનો ઉપયોગ કરે છે અને બીજાની પતંગની દોર કાપવાની મજા માણે છે. પરંતુ આ મજા અનેક લોકો માટે અને પશુ-પક્ષીઓ માટે સજા સમાન બની જાય છે. ઉત્તરાયણના પર્વ પર હેલ્પલાઈન નંબર 108 પર નોંધાયેલા ઈમર્જન્સી કોલ પરથી આનો ખ્યાલ આવે છે.
ADVERTISEMENT
108 પર 3345 કોલ નોંધાયા
ADVERTISEMENT
15 જાન્યુઆરીના દિવસે સાંજે 6 વાગ્યે 108 પર 3345 કોલ નોંધાયા હતા. જે ગત વર્ષ કરતા 303 કોલ વધુ છે. આ કોલમાં દોરી વાગવા સહિતના અન્ય ઈમર્જન્સીના કોલ હતા. કરુણા એનિમલ એમ્બ્યુલન્સમાં 1119 કેસ નોંધાયા છે. જે પૈકા 846 પશુના અને 273 પક્ષીઓના કોલ હતા.
આ પણ વાંચો: રાજકોટમાં અસામાજીક તત્વોની દાદાગીરી, અંગત અદાવતમાં જીવલેણ હુમલો, જુઓ CCTV વીડિયો
પતંગની દોરી અબોલ પશુઓ માટે સજા
ઉત્તરાયણમાં લોકો પતંગ ચગાવીને મજા માણતા હોય છે પરંતુ આજ પતંગની દોરી અબોલ પશુઓ માટે સજા બની જાય છે. પતંગોત્સવમાં એકતરફ લોકો એકબીજાની પેચ કાપી રહ્યા હતા તો બીજીબાજુ પશુ પક્ષીઓ સહિત લોકોના જીવનની ડોર કપાઈ રહી હતી. અમદાવાદના પાંજરાપોળમાં આ વર્ષે 14 જાન્યુઆરીએ 5 હજાર જેટલા પક્ષીઓ ઘવાયા.જે વર્ષ 2023 કરતા 470 વધુ છે. સૌથી વધુ અમદાવાદમાં કેસ નોંધાયા. સુરત, રાજકોટ અને વડોદરામાં વધુ કેસ નોંધાયા છે. 15 જાન્યુઆરી બપોર સુધી 125 કોલ મળ્યા હતા. ત્યારે વાઈલ્ડ લાઈફ સેન્ટરમાં મુંબઇ અને ગોવા સહિતના 20 ડોકટરોની ટીમે કામગીરી હાથ ધરી હતી. અને અલગ અલગ શહેરમાં પશુ-પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.