જગત જનની મા ઉમિયાના ધામ વિશ્વઉમિયાધામ ખાતે યોજાયેલા પાટોત્સવમાં પાટીદાર દ્વારા મહત્વ પૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે DyCM નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા.
દીકરીઓ માટે ખાસ વ્યવસ્થા
આ વર્ષે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પાટીદાર સમાજના 100 જરૂરિયાતમંદ પરિવારની દિકરીઓને વિનામુલ્યે ( ઝીરો રૂપિયે) રંગેચંગે લગ્ન કરાવશે. એલસું જ નહીં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન 2021ના વર્ષને દેશ અને વિદેશમાં સંગઠન પર્વ તરીકે ઉજવશે. ગઈકાલે તેમણે પાટોત્સવની ઉજવણી કરી હતી.
વિશ્વ ઉમિયાધામ પાટોત્સવ સમારોહની ભવ્યાતિભવ્ય ઉજવણી
અમદાવાદમાં જાસપુર બની રહેલ વિશ્વઉમિયાધામમાં જગત જનની મા ઉમિયાના 451 ફૂટ ઊંચા ભવ્યાતિભવ્ય મંદિરની શિલાન્યાસ વિધિ ગયા વર્ષે કરવામાં આવી હતી. જેના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી વિશ્વઉમિયાધામ-અમદાવાદના આગંણે તારીખ 28 ફેબ્રુઆરી 2021ને રવિવારના રોજ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાઈ હતી જેમાં વિશેષ રૂપે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા અને મા ઉમિયાની મહાઆરતીમાં હાજર રહ્યા હતા.
10થી વધુ પગળપાળા સંઘ સરદારધામ પધાર્યા
સવારે 8.15 કલાકે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી 10થી વધુ પગળપાળા સંઘ સરદારધામ પધાર્યા જ્યાંથી હજારો મા ઉમિયાના ભક્તો જગત જનની મા ઉમિયાની પાલખીયાત્રામાં જોડાયા. જગત જનની મા ઉમિયાની પાલખીયાત્રા વાજતે ગાજતે અને ભક્તોના નાચ-ગાન સાથે સરદારધામથી વિશ્વઉમિયાધામ સંકુલ પહોંચી. વિશેષરૂપે પાલખીયાત્રામાં મા ઉમિયાનો દિવ્યરથ પણ જોડાયો હતો. વિશ્વઉમિયાધામ સંકુલ ખાતે માતાજીની પાલખીની આરતી ઉતારી સ્વાગત કરાયું અને ત્યાર બાદ સ્મૃતિ મંદિર પરિષરમાં મહાપુજા સંપન્ન થઈ.