અમદાવાદ-ઉદેપુર હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચાર લોકોના જીવ ગયા છે જ્યારે 6થી વધારે મુસાફરોને ઈજાઓ પહોંચી છે. શામળાજીના દર્શનેથી પરત ફરતા આ ભયંકર અકસ્માત નડ્યો હતો.
ટ્રકે મુસાફરો ભરેલી રીક્ષાને લીધી અડફેટે
શામળાજીથી દર્શન કરીને પરત આવી રહ્યા હતા મુસાફરો
મોડાસા પાસે થયો અકસ્માત
અરવલ્લીમાં માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત થતા ખળભળાટ મચી ગયો હતો. મોડાસા નજીક ટ્રકે મુસાફરો ભરેલી રીક્ષાને અડફેટે લીધી હતી. આ ગોઝારા અકસ્માતમાં 4 લોકોના ઓન ધી સ્પોટ મોત થયા છે જ્યારે 6થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.
મુસાફરો આનંદમાં મુસાફરી કરી રહ્યા હતા પરંતુ કાળ ક્યારે મોતનો પૈગામ લઈને આવે તે નીશ્ચીત હોતુ નથી આવુ જ આ મુસાફરનો કિસ્સામાં બન્યુ હતુ. આ અક્સમાતમાં મુસાફરો શામળાજીથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા અને તેમને આ ગોઝારો અકસ્માત નડ્યો હતો. 6 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે જેમને સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.