સોશિયલ મિડીયાનો વ્યાપ એટલો બધો વધી ગયો છેકે બહુ ઓછા સમયમાં લોકો એક બીજાનો સંપર્ક કરી શકે છે. આજે અમદાવાદમાં એવા બે પરિવાર છે જે સોશિયલ મિડીયાને કારણે પોતાના દિકરાને ઓળખીને તેમના અંતિમ સંસ્કાર કરી શક્યા છે. સાબરમતી નદીમાં બે પુરુષોએ અલગ અલગ સમય પર કુદીને આત્મહત્યા કરી હતી. જેમા તેમની ઓળખ નહીં થતા તેમને બનીવારસી માનીને મુર્દાધરમાં મોકલી આપ્યા હતા. જોકો ફાયરબ્રીગેડની રેસ્ક્યુ ટીમે બનાવેલા ફેસબુક આઇડી પર બન્ને મૃતકના ફોટોગ્રાફ્સ અપલોડ કરતા ગણતરીના દિવસોમાં તેમના પરિવારના સભ્યોને જાણ થઇ ગઇ હતી.
ફાયરબ્રીગેડ રેસ્ક્યુની ટીમે બનાવ્યું ફેસબુક આઈડી
ફેસબુક પર મૃતદેહના ફોટો ગ્રાફ્સ અપલોડ કર્યા હતા
અમદાવાદના મધ્યમાંથી વહેતી સાબરમતી નદીને સ્યુસાઇડ પોઇન્ટ તરીકે ઓળખવામાં આવે છે. દર એકાદ બે દિવસે કોઇના કોઇ વ્યકિત અનેક કારણોસર નદીમાં છંલાગ લગાવીને આત્મહત્યા કરે છે જેમાં કેટલાક લોકો ફાયરબ્રીગેડની રેસ્ક્યુ ટીમ અને પોલીસની સતર્કતાના કારણે બચી જાય છે. કોઇપણ વ્યકિત જીવન ટુંકાવે ત્યારે મોટાભાગના કિસ્સામાં તેમના પરિવારજનો ઘટના સ્થળ પર આવી જતા હોય છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં મૃતકની ઓળખ નહી થતા તેમની લાશને બનીવારસી ગણાવીને મૃર્દાધરમાં મોકલી આપવામાં આવતી હોય છે.
ફાયરબ્રીગેડ રેસ્ક્યુની ટીમે બનાવ્યું ફેસબુક આઈડી
પંદર દિવસ સુધી કોઇપણ મૃકતના પરિવારજનો ફોટોગ્રાફ્સ લઇને આવે નહીં તો કોર્ટની મંજુરીથી તેને બીનવારસી ગણાવીને અંતિમ સંસ્કાર કરી દેવામાં આવતા હોય છે. કેટલાક કિસ્સાઓમાં મરનાર મુસ્લિમ હોય અને તેમના અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવે તો વિવાદ પણ ઉભો થતો હોય છે. મૃતકની ઓળખ પરિવારજનો કરી શકે તે માટે ફાયરબ્રીગેડની રેસ્ક્યુ ટીમે એક ફેસબુક આઈડી બનાવ્યુ છે જેમાં કોઇપણ મરનાર અજાણ્યા વ્યકિતના ફોટો ગ્રાફ્સ અપલોડ કરવાનું શરુ કર્યુ છે.
ફેસબુક પર મૃતદેહના ફોટો ગ્રાફ્સ અપલોડ કર્યા હતા
ફાયરબ્રીગેડની રેસ્ક્યુ ટીમના ગ્રુપ લીડર ભરત માંગેલાએ જણાવ્યુ છે કે તારીખ 6 નવેમ્બરના રોજ એક 40 થી 45 વર્ષના અજાણ્યા પુરુષની લાશ ફાયરબ્રીગેડની રેસ્ક્યુ ટીમે બહાર કાઢી હતી. તેના ફોટોગ્રાફ્સ ફેસબુક પર અપલોડ કર્યા હતા જેમાં મરનારના પરિવારને ફેસબુક દ્વારા બે દિવસ બાદ જાણ થઇ હતી. મરનારનું નામ દિનેશભાઇ ચૌહાણ છે અને તે રાયપુરના ખાચી પુરામાં રહે છે. ત્યારે 9 નવેમ્બરના રોડ પણ નદીમાંથી 40થી 42 વર્ષના અજાણ્યા પુરુષની લાશ મળી હતી તેને પણ મુર્દાધરમાં મોકલી આપીને ફેસબુક પર તેના ફોટો ગ્રાફ્સ અપલોડ કર્યા હતા. ફોટોગ્રાફ્સ અપલોડ કરવાના ગણતરીના કલાકોમાં મરનારના પરિવારજનોએ ફાયરબ્રીગેડની રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી. મરનારનું નામ દલસુખભાઇ પરમાર છે અને તે શાહપુરના રહેવાસી છે જેમને અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યુ છે.