શહેરના નવરંગપુરા વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમની સામે આવેલ અમૃત બાગ કોલોનીમાં જે.કે. શાહ કલાસીસમાં વહેલી સવારે ૬.૩૦ની આસપાસ આગ લગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરાતાં બે જેટલાં ફાયર ફાઇટરો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યાં હતાં. ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. જોકે વહેલી સવારે કલાસીસમાં આગ લાગી તેથી વિદ્યાર્થી હાજર ન હતા.
જાણકારી પ્રમાણે આગ શોર્ટ સર્કિટથી લાગી હતી. જો કે વહેલી સવારે લાગેલી આગમાં કોઈ જાનહાનિ નથી થઈ. શહેરમાં વહેલી સવારે જોગિંગ કરવા નીકળતા લોકોમાંથી કોઇએ આ આગ વિશે ફાયર બ્રિગેડને જાણ કરતા તેઓ તરત ઘટના સ્થળે પહોંચ્યા હતા.