અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક સતત વધી રહ્યો છે. જ્યારે વ્યાજખોરીની આજે વધુ એક ફરિયાદ નોંધાઇ છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે. જેમાં વ્યાજખોરોને 5 લાખ વ્યાજે આપી અને 71 લાખ વસૂલ્યા છે. અને હજુ પણ 33 લાખની માગ કરી રહ્યા છે.
ફરિયાદી મુજબ વ્યાજખોરોએ પહેલા 10 ટકા વ્યાજે પૈસા આપ્યા હતા અને બાદમાં વ્યાજની રકમ 60 ટકા કરી દીધી હતી. 5 લાખ વ્યાજે લીધા હતા, જેના 71 લાખ ચુકવ્યા હોવા છતાં પણ હજુ વધુ 33 લાખની માંગ કરતાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ઘાટલોડિયાના 2 શખ્સો સહિત 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
શહેરમાં વ્યાજખોરોના ત્રાસની ઘટનાઓ દિવસે દિવસે વધતી જાય છે. ત્યારે અહિંયા અનેક સવાલ ઉઠી રહ્યા છે કે, શું આવા વ્યાજખોરોને કાયદાનો કોઇ ડર જ નથી? વ્યાજખોરો કેમ મનફાવે તેમ વસૂલી કરે છે? પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદ નોંધાઇ છે પરંતુ શું પોલીસ કોઇ કડક કાર્યવાહી કરે છે? પોલીસની આ પ્રકારની વસૂલી પર કેમ કોઇ લગામ નથી?