અમદાવાદ-મુંબઇ પહેલી ખાનગી ટ્રેન તેજસની પહેલી ટ્રાયલ સોમવારે ૧૩મીએ થશે. તેજસ ટ્રેન ૧૭મીએ ઉદઘાટન થયા બાદ ૧૯મીથી રેગ્યુલર સમયે ચાલશે. આ ટ્રેનને ચલાવવા માટે એક ડઝન જેટલી એક્સપ્રેસ ટ્રેન બાધક બની શકે છે.
તેજસની પહેલી ટ્રાયલ સોમવારે લેવાશે
અન્ય ટ્રેનોને પ થી૧૦ મિનિટ કરાઇ મોડી
19 તારીખથી રેગ્યુલર સમયે ચાલશે તેજસ ટ્રેન
તેથી જે તે ટ્રેનનો સમય બદલવા રેલવે બોર્ડ દ્વારા પશ્ચિમ રેલવેને પત્ર લખી ઉક્ત તમામ ટ્રેનનો સમય બદલવા સૂચના અપાઈ છે. તેજસ ટ્રેનને સમયસર પહોંચાડવા માટે રેલવે દ્વારા સાત મહિના પહેલા રેલવેનું ટાઇમ ટેબલ બદલી નાખવામાં આવ્યું છે.
૧ર ટ્રેન પ થી૧૦ મિનિટ કરાઇ મોડી
જુલાઇ મહિનામાં બદલવામાં આવતું ટાઇમ ટેબલ જાન્યુઆરીમાં બદલવામાં આવ્યું છે. હવે પશ્ચિમ રેલવેના બદલાયેલા સમય મુજબ ૧ર ટ્રેન પ થી૧૦ મિનિટ મોડી કરવામાં આવી છે.
૧૩ જાન્યુઆરીએ તેજસ ટ્રેનનો ટ્રાયલ રન લેવાશે
અમદાવાદ મુંબઈના સમગ્ર રૂટ પર અને અન્ય સ્ટેશનથી ઉપડતી ટ્રેનો પણ પ્રભાવિત થઇ છે. આઇઆરસીટીસીનાં સૂત્રો અનુસાર ૧૩ જાન્યુઆરીએ તેજસ ટ્રેનનો ટ્રાયલ રન માત્ર અમદાવાદથી સુરત સુધી જ હશે.
આ સ્ટેશન પર કરશે બ્રેક
19 જાન્યુઆરીથી અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ સુધી ટ્રેન દોડશે. જેમાં સવારે 6.40 વાગે અમદાવાદથી ટ્રેન ઉપડશે અને બપોરે 1.10 વાગે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. જ્યારે મુંબઈથી બપોરે 3.40 વાગ્યે ટ્રેન ઉપડશે અને રાત્રે 9.55 વાગે અમદાવાદ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર રોકાશે. ગુરુવાર સિવાય સપ્તાહમાં 6 દિવસ આ ટ્રેન દોડશે. સાથે જ ટ્રેનમાં અદ્યતન સુવિધાઓ મળશે. સાથે જ ટ્રેન મોડી પડશે તો મુસાફરોને રિફંડ પણ આપવામાં આવશે.
નિયત સમય કરતાં ૧ કલાક મોડી પડશે તો મળશે વળતર
એટલું જ નહીં, પરંતુ પ્રવાસીને વધુ એક સુવિધા પણ આપવામાં આવશે. આઈઆરસીટીસીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર તેજસ ટ્રેન તેના નિયત સમય કરતાં ૧ કલાક મોડી પડશે તો પ્રવાસીને ૧૦૦ રૂપિયા અને ર કલાકથી વધુ મોડી પડે તો રપ૦ રૂપિયા વળતર ચૂકવવામાં આવશે. આ સુવિધા દિલ્હી -લખનૌ વચ્ચે શરૂ થયેલી તેજસમાં અપાઈ રહી છે. આ જ પ્રમાણેની સુવિધા મુંબઈ-અમદાવાદ વચ્ચે પણ મળશે.