સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા જળ સંચય અભિયાનમાં અમદાવાદના ઐતિહાસિક અને શહેરને પાણી પુરી પાડી શક્વાની ક્ષમતા ધરાવતા વિશાળ એવા ચંડોળા તળાવને બાકાત રાખવામાં આવ્યું છે.
આ ચંડોળા તળાવ હાલ એક દમ ખાલી છે અને અશહથી જો કાંપ કાઢવામાં આવે તો આગામી સમયમાં શહેરનું જળ સંકટ ઓછું થઈ શકે છે. આ મામલે કોંગ્રેસ દ્વારા આગવી ઢબે વિરોધ સાથે રજૂઆત કરવામાં આવી હતી.
કોંગ્રેસના ધારાસભ્ય સહિતના કાર્યકર્તાઓએ તળાવમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. જેથી સરકારને માલુમ થાય કે આ તળાવ એક મેદાનમાં પરિવર્તીત થઈ ચૂંકયું છે. આ ઉપરાંત કોંગ્રેસે બે જેસીબી મશીનની મદદથી તળાવનું પ્રતિકાત્મક રીતે ખોદ કામ કરાવ્યું હતું.
આ સાથે કોંગ્રેસે આરોપ કર્યાં છે કે આ સમગ્ર વિસ્તાર કોંગ્રેસનો ગઢ હોવાથી ભાજપ સરકાર દ્વારા કિન્નાખોરી રાખીને તળાવની અવગણના કરવામાં આવી છે.