ગુજરાતની જીવાદોરી મા નર્મદામાં નવા નીર આવતાં સમગ્ર રાજ્યની નદી હવે પુનઃ જીવિત થશે. આજે જ ગાંધીનગરના કરાઈ ખાતે આવેલી નર્મદા કેનાલમાંથી પાણી છોડતાં અમદાવાદ શહેરની જીવાદોરી સાબરમતીમાં જીવ પુરાયો છે. નર્મદા કેનાલમાંથી સાબરમતી નદીમાં અંદાજે 300 ક્યુસેક પાણી છોડાયું છે. કેનાલના 3 દરવાજા ખોલાયા છે.