કોંગ્રેસની જન ચેતના યાત્રામાં પરેશ ધાનાણીએ રિક્ષા ચલાવીને વિરોધ નોંધાવ્યો હતો, રિક્ષા ચલાવનારા પરેશ ધાનાણીને વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાઈરલ
મોંઘવારીને લઇ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
કોંગ્રેસે અમદાવાદમાં કાઢી જન ચેતના રેલી
મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉતર્યા રસ્તા પર
દેશમાં વધી રહેલી મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે જન ચેતના યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ જોડાયા હતા. કોંગ્રેસ કાર્યાલયથી નહેરુબ્રિજ સુધી જન ચેતના યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા. ત્યારે આ દરમિયાન પરેશ ધાનાણીએ કહ્યું કે આ સરકાર હવે મોંઘવારીની સરકાર છે. સરકારે પ્રજાનું વિચારવાનું બંધ કરી દીધું છે. તો અર્જૂન મોઢવાડિયાએ કહ્યું કે આ સરકાર લોકોને અવાજ દબાવી રહી છે. પેટ્રોલ-ડીઝલનો ભાવ આસમાને છે છતા પ્રજાની કોઇ ચિંતા નથી. તો સિદ્ધાર્થ પટેલે કહ્યું કે અમે જન ચેતના યાત્રા દ્વારા લોકોને જગૃત કરી રહ્યાં છે.
દેશમાં વધી રહેલી મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે જન ચેતના યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ જોડાયા હતા. કોંગ્રેસ કાર્યાલયથી નહેરુબ્રિજ સુધી જન ચેતના યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા. ત્યારે આ દરમિયાન પરેશ ધાનાણીએ રિક્ષા ચલાવીને વિરોધ નોંધાવ્યો હતો. જેમાં કોંગ્રેસ કાર્યકતાઓ પણ જોડાયા હતાં. ધાનાણીએ કોંગ્રેસ કાર્યલયથી લાલ દરવાજા સુધી રીક્ષા ચલાવી હતી. આ સમયે પરેશ ધાનાણીએ જણાવ્યુ હતું કે આ સરકાર હવે મોંઘવારીની સરકાર છે.
કોંગ્રેસ નેતા ભરતસિંહનું નિવેદન
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ કાર્યકર્તાઓને આહ્વાન કર્યું છે. ભરતસિંહ સોલંકીએ કહ્યું કે કોંગ્રેસના કાર્યકર્તાઓએ આગળ આવવું પડશે. તમામ કાર્યકર્તાઓ એકસાથે આવે તે જરૂરી છે. ભરતસિંહ સોલંકીએ કહ્યું કે નિષ્ક્રિયતાના કારણે કોંગ્રેસને હાર મળે છે. મારે પણ લોકસભામાં હારનો સામનો કરવો પડ્યો હતો.