અલ્પેશ ઠાકોરની સેનામાં આગળનાં સમયમાં ફેરફાર થઈ શકવાની સંભાવના છે. અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનામાં જ તીરાડ પડી રહી છે. ઠાકોર સેનાનાં નારાજ સભ્યોએ ગાંધીનગરનાં ચિલોડા ખાતે એક રિસોર્ટમાં બેઠક યોજી.
આજે ઠાકોર સેનાનાં નવા માળખાની પણ જાહેરાત થઈ છે. આ જાહેરાતમાં કેટલાંક સભ્યોમાં નારાજગી હોવાનું પણ સામે આવ્યું છે. મહત્વનું છે કે અલ્પેશની ગેરહાજરીમાં આ બેઠક યોજાઇ. આ બેઠકમાં રમેશજી ઠાકોરે કહ્યું કે નવા હોદ્દેદારો કોંગ્રેસનાં છે. દુશ્મનો ફસાવવાનાં પ્રયત્નો કરે છે.
મહત્વનું છે કે મળતી માહિતી મુજબ લોકસભાની ચૂંટણી પહેલાં જ ઠાકોર સેનામાં મોટાં ભાગલાં થાય તેવાં એંધાણ નજરે પડી રહ્યાં છે. ત્યારે રમેશજી ઠાકોરે અલ્પેશ ઠાકોર પર વિવિધ આક્ષેપો લગાવીને બળવો કર્યો છે. આજનાં મંગળવારનાં રોજ આ મુદ્દે જ ગાંધીનગરનાં ચિલોડા ખાતેનાં એક રિસોર્ટમાં ઠાકોર સેનાનાં આગેવાનોની બેઠક યોજાઇ.