અમદાવાદમાં ચાની કિટલીઓ બંધ જોવા મળી રહી છે શહેરમાં 32 ચાની કિટલીઓ સીલ કરવામાં આવી છે. જ્યારે 1124 ચાની કિટલીઓ બંધ રાખવાની ફરજ પાડી છે. AMCના સોલિડ વેસ્ટ વિભાગે કાર્યવાહી કરી છે. કોરોનાના વધતા સંક્રમણને લઇને AMCએ કાર્યવાહી કરી છે. જોકે AMCના બેવડા વલણ સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. ભાજપ-કોંગ્રેસની રેલીઓમાં ભીડ પર કોઇ કાર્યવાહી નહી
અમદાવાદ શહેરમાં ચાની કિટલીઓ બંધ કરાવવા પર રાજકારણ
'ચાની કિટલીઓ શરૂ નહીં થાય તો વિધાનસભામાં કોંગ્રેસ મુદ્દો ઉઠાવશે'
માસ્કના દંડની રકમ ઘટાડવા પણ કોંગ્રેસે કરી માગ
AMCના નિર્ણયથી પૂર્વ મેયર હિમંતસિંહ પટેલે નારાજગી વ્યક્ત કરી
અમદાવાદ શહેરમાં ચાની કિટલીઓ બંધ કરાવવા પર રાજકારણ શરૂ થઇ ગયું છે. પૂર્વ મેયર અને બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે ચાની કિટલીઓ તાત્કાલિક શરૂ કરવા માગ કરી છે. તેમને કહ્યું કે ચાની કિટલીઓ શરૂ નહીં થાય તો વિધાનસભામાં કોંગ્રેસ મુદ્દો ઉઠાવશે. AMCના નિર્ણયથી પૂર્વ મેયર હિમંતસિંહ પટેલે નારાજગી વ્યક્ત કરી છે. માસ્કના દંડની રકમ ઘટાડવા પણ કોંગ્રેસે માગણી કરી છે
કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાના ભાજપ પર પ્રહાર
કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાએ વઘતા જતાં કોરોના સંક્રમણના મુદે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ કરીને કમલમને કોરોનાનું કેન્દ્ર ગણાવ્યું છે. તેમણે સતાપક્ષ પર નિશાન સાંઘતા લખ્યું કે, ભાજપના જાહેર કાર્યક્રમોના કારણે ફરી અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તેમણે જણાવ્યું છે કે,. ચાની કિટલીઓ બંધ કરાવવાથી કહી જ નહીં વળે,. કોરોના મહામારી ભાજપના તાયફાઓ ક્યારે બંધ થશે?
મનપાના વિપક્ષના નેતા દિનેશ શર્માએ પણ નોંધાવ્યો વિરોધ
શહેરમાં કોરોનાનો કહેર યથાવત જોવો મળી રહ્યો છે ત્યારે સામાજિક અંતરના અભાવના નામે મનપા દ્વારા ચાની કીટલી પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી. શહેરના તમામ ઝોનમાં આવેલી ચાની કીટલીઓ પર સોલિડવેસ્ટ વિભાગની ટીમોએ તવાઈ મચાવી હતી. સામાજિક અંતર ન જળવાતા 32 થી વધુ ચાની કીટલીઓ સીલ કરવામાં આવી હતી. જેને લઈને હાલ રાજકારણ ગરમાયું છે. મનપાના વિપક્ષના નેતા દિનેશ શર્માએ શાસક પક્ષ પર આક્ષેપોનો મારો ચલાવ્યો છે. દિનેશ શર્માએ કહ્યું કે મનપાના અધિકારીઓ બેવડા ધોરણો અપનાવે છે. રાજકીય કાર્યક્રમો પર મીઠી નજર રાખે છે જ્યારે રોજીરોટી કમાવનારા લોકો પાસેથી સામાજિક અંતરના ભંગ બદલ દંડ ફટકારવામાં આવે છે.