ચાની કીટલીઓને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે અમદાવાદ મનપાએ કીટલીઓ બંધ કરાવી હતી ત્યારે હવે તેમાં છુટછાટ આપવાનો નિર્ણય લેવો પડી રહ્યો છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો?
કિટલી ચાલુ રાખવા AMCની ગાઇડલાઇન
કીટલી માલિકે નિયમોનું પાલન કરવું પડશે
ચા પીતી વખતે ગ્રાહકો વાત ન કરે તેનું ધ્યાન રાખવું પડશે
કિટલી મામલે કકળાટ બાદ મનપા મોડે મોડે જાગ્યુ છે અને કેટલીક ગાઈડલાઈન સાથે ચાની કીટલીઓ ચાલુ કરવાની પરવાનગી આપી છે. ત્યારે આવો જાણીએ કે તેમણે શું રાખી છે કોરોનાની ગાઈડલાઈન?
કિટલી મામલે વિપક્ષે વિધાનસભા ગજવવાની ધમકી આપી હતી ત્યારે હવે અમદાવાદ મનપાએ ગાઈડલાઈનના પાલન સાથે કીટલીઓ ચાલુ કરવાની પરવાનગીઓ આપી છે. રાજકીય મેળાવડાંઓને છૂટ આપતું તંત્ર મધ્યમવર્ગના પડતા પર પાટુ મારવા માંડ માંડ શરૂ થયેલા ઉધ્યોગ ધંધા પણ બંધ કરાવવાની કોશિશ કરી રહી હોવાની રાવ ઉઠી હતી. ત્યારે મનપાને હવે શાણપણ આવ્યું હોય તેમ ગાઈડલાઈન બહાર પાડી છે
કીટલી માટે શું છે ગાઈડલાઈન?
દરેક કર્મચારીએ દર સપ્તાહે રેપિડ ટેસ્ટ કરાવવો ફરજિયાત
6 ફૂટનું અંતર જળવાય તે માટે સર્કલ દોરવાના રહેશે
કિટલી કે લારી પર માસ્ક વેન્ડિંગ મશીન મૂકવાની વ્યવસ્થા કરવી પડશે
ચા- કોફી પીતા ગ્રાહક ટોળે ન વળે તેનું ધ્યાન રાખવું પડશે
ચા-કોફી માટે બાયોગ્રેડેબલ ડીસ્પોઝલ કપનો જ ઉપયોગ કરવો
વાસણો ડિટરર્જન્ટથી ધોવા ફરિયાત છે
રોડક વ્યવહાર એકબીજાને સ્પર્શ ન થાય તે રીતે કરવા નિર્દેશ
પાન-મસાલા અને ગુટખા તેમજ થુંકવા પર પ્રતિબંધ રાખવો
ગ્રાહકોને બેસવા માટેના ટેબલો સેનેટાઇઝ કરવા
ગ્રાહકોએ ઉપયોગમાં લીધેલા માસ્ક, ગ્લોવ્ઝ માટે ડસ્ટબીન
સળગતા સવાલ
શું AMCનો આ નિર્ણય ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા જેવો નથી?
ચાની કિટલી પર આટલા નિયમો થોપવા કેટલા યોગ્ય?
શું આ નિયમો તોડબાજ કર્મચારીઓને પોષણ આપનારા નથી?
શું આ નિયમના નામે ગરીબ કિટલીવાળાઓને દબાવવામાં નહી આવે?
આવા નિયમો કેમ કોઈ રાજકીય મેળાવડામાં નથી બનાવતા?
કેમ રાજકીય તાયફામાં સોશિયલ ડીસ્ટંસની ગાઇડલાઇન નથી અપાતી?
શું રાજકીય મેળાવડાઓમાંથી કોરોના નથી ફેલાતો?
શું માત્ર કિટલીવાળાઓ જ કોરોના ફેલાવે છે?
ચા પીતી વખતે ગ્રાહક વાત કરે તો કિટલીવાળા તેને કેવી રીતે રોકી શકે?