અમદાવાદ / તપન હોસ્પિટલ દ્વારા કોરોનાના દર્દીનું મોત થતા 9 દિવસની સારવાર બાદ 5 લાખનું પકડાવ્યુ બીલ

કોરોનાની મહામારીમાં ખાનગી હોસ્પિટલ દ્વારા હજુ પણ બેફામ ફી વસૂલવામાં આવી રહી છે. અમદાવાદમાં આનંદનગરની તપન હોસ્પિટલ દ્વારા કોરોનાના દર્દીના મોત બાદ અધધ બિલ આપ્યું. હોસ્પિટલે 9 દિવસની સારવાર બાદ 5 લાખનું બિલ પકડાવી દીધું. જ્યારે એક દિવસના 21 હજારનો ખર્ચ હોવા થતા 5 લાખનું બિલ કેવી રીતે આવ્યું તેને લઇ પરિવાર પણ મુશ્કેલીમાં મૂકાયો છે. ત્યારે અહિંયા સવાલ એ છે કે ખાનગી હોસ્પિટલો દ્વારા લેવાતી અધધ ફી પર ક્યારે લગામ લાગશે?. કોરોનાના દર્દી પાસેથી કેમ બેફામ રૂપિયા વસૂલી રહી છે ખાનગી હોસ્પિટલો? અને જો એક દિવસના 21 હજારનો ખર્ચ તો 9 દિવસમાં 5 લાખનું બિલ ક્યાંથી આવ્યું?.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ