અમદાવાદ સહિત દેશનાં આ 22 શહેરોને સ્માર્ટ સિટીઝમાં પરિવર્તિત કરવાનું કામ માર્ચ મહિના સુધી સંપન્ન થઈ જશે.
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 22 શહેરોમાં કામ થશે પૂર્ણ
માર્ચ મહિનામાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ થશે પૂરાં
3-4 મહિનાઓમાં અન્ય શહેરોનું કામ થશે પૂરું
મોદી સરકારની દેશનાં અનેક શહેરોને સ્માર્ટ સિટીમાં બદલવાની યોજના હવે સાકાર થવા જઈ રહી છે કારણકે સૂરત-અમદાવાદ સહિત કુલ 22 શહેરોમાં નાગરિકોને સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ઉચ્ચત્તમ સુવિધાઓ મળવાનું શરૂ થવા જઈ રહ્યું છે. આ 22 શહેરોમાં આવતાં મહિના સુધી સરકારનાં સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત ચાલી રહેલાં તમામ પ્રોજેક્ટ્સને પૂરાં કરવામાં આવશે.
અધિકારીએ આપી માહિતી
સૂત્રો અનુસાર વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આ મિશન અંતર્ગત બાકી રહેલાં 78 શહેરોમાં ચાલી રહેલી યોજનાઓ આવનારાં 3-4 મહિનાઓમાં પૂરા કરી દેવામાં આવશે. મંત્રાલયનાં અધિકારીએ કહ્યું કે 'અમે માર્ચ સુધી 22 સ્માર્ટશહેરોનું કામ પૂર્ણ કરી લેશુ કારણકે આ શહેરોમાં યોજનાઓ અંતિમ ચરણમાં છે. આવનારાં 3-4 મહિનાઓમાં અમે બાકી રહેતાં શહેરોનાં કામ પૂર્ણ કરશું.'
આ 22 શહેરોનાં નામ છે લિસ્ટમાં
આ 22 શહેરોમાં માર્ચ સુધીમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલાં કામ પૂરા થઈ જશે. ભોપાલ, વિશાખાપટ્ટનમ, અમદાવાદ, કાકીનાડા, પુણે, વેલ્લોર, પિંપરી-ચિંચવાડ, મદુરે, અમરાવતી, તિરૂચિરાપલ્લી, તંજાવુર, ઈંદોર, આગ્રા, વારાણસી, ચેન્નઈ, ભુવનેશ્વર, કોયમ્બતૂર, રાંચી, ઈરોડ, સલેમ, સૂરત, ઉદયપુર શામેલ છે.
સ્માર્ટ સિટીઝમાં મળનારી સુવિધાઓ
સ્માર્ટ સિટીઝમાં વધુ સારી હેલ્થકેર સિસ્ટમ, ગવર્નેન્સ, ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ, સિક્યોરિટી સર્વિલેન્સ, સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રકર્ચર, રોજગારની તકો જેવી સુવિધાઓ શામેલ છે. સ્માર્ટ સિટીઝ મિશનનું લક્ષ્ય શહેરોમાં વધી રહેલી ભીડભાડ અને ટ્રાફિકને ઘટાડવાનું, નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું અને પ્રદૂષણ ઘટાડવાનું છે. એટલું જ નહીં રોડ એક્સિડેન્ટ્સને રોકવા તેમજ સાઈકલ ચાલકો માટે અલગ માર્ગ બનાવવા જેવી સુવિધાઓ આપવામાં આવશે.