અમદાવાદ સહિત મહાપાલિકાઓની ચૂંટણી પાછી ઠેલાશે. કોરોના મહામારી વચ્ચે ચૂંટણી યોજવી અશક્ય છે. આથી ડિસેમ્બરના બદલે એપ્રિલ મહિનામાં ચૂંટણી થઈ શકે છે. ત્યાં સુધી વહીવટદારનું શાસન લાગી શકે છે. ડિસેમ્બરથી મહાનગર પાલિકામાં વહીવટદારનું શાસન લગાવવામાં આવી શકે છે. રાજ્યમાં એકપણ કેસ ન નોંધાય ત્યારે ચૂંટણી શક્ય છે. આમ 14 દિવસમાં એકપણ કેસ સામે ન આવે તો ચૂંટણી શક્ય બનશે. ઉલ્લખનીય છે કે VTVGujarati.com ના સૂત્રો દ્વારા સૌપ્રથમ આ બાબેત 10 જૂનના રોજ પણ આ વિશે માહિતી અપાઈ હતી.
કોરોના મહામારી વચ્ચે ચૂંટણી યોજવી અશક્ય
ડિસેમ્બરના બદલે એપ્રિલ મહિનામાં થઈ શકે ચૂંટણી
જ્યા સુધી લાગી શકે છે વહીવટદારનુ શાસન
સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે ગુજરાતમાં અનલૉક બાદ કોરોનાના કેસમાં વધારો થયો છે. તેવામાં આ કોરોનાની સ્થિતિ વચ્ચે આ વર્ષે ડિસેમ્બરમાં મહાપાલિકાની ચૂંટણી યોજાવાની હતી, પરંતુ રાજ્યભરમાં કોરોનાના કેસના કારણે સમયસર ચૂંટણી યોજવી મુશ્કેલ બની શકે છે. ત્યારે ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં જો 14 દિવસ સુધી એકપણ કેસ ન આવે તો જ ચૂંટણી શક્ય બનશે. નહીં ત્યાં સુધી વહીવટદારનું શાસન આવી શકે છે.
સુત્રોએ આપેલી માહિતી અનુસાર, અમદાવાદ, વડોદરા અને સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજવી અશક્ય છે. મહાપાલિકાની ચૂંટણી 2020માં નહીં યોજાય પરંતુ આ ચૂંટણીઓ એપ્રિલ 2021માં યોજાઇ શકે છે. કોરોના કહેર વચ્ચે આ નિર્ણય લેવાયો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
સૌપ્રથમ VTVGujarati.com અગાઉ આપી હતી ખબર
મહત્વનું છે કે અગાઉ અમે 10 જૂનના રોજ આ વિશે માહિતી આપી હતી. જેમાં કોરોના મહામારી જુલાઈ સુધીમાં અંત થવાની શરૂઆત થાય તેવું લાગે છે. સપ્ટેમ્બર મહિના સુધી પરિસ્થિતિ સામાન્ય થઇ જશે આથી ઓક્ટોબર પહેલા ચૂંટણી રાખવી શક્ય લાગતી નથી. આ વિષયે એક વિગતવાર અહેવાલ બનાવીને રાજકીય વર્તુળો કેન્દ્રીય હાઈકમાન્ડને સોંપશે જેથી આ મુદ્દે નિર્ણય લઇ શકાય.
ચૂંટણી પાછી ઠેલવવા પાછળ આ કારણો પણ હોઈ શકે જવાબાદાર
2015ની ચૂંટણીઓની વાત કરવામાં આવે તો એ સમયે પાટીદાર અનામત આંદોલનનું ચૂંટણી ઉપર પ્રભુત્વ રહ્યું હતું અને કોંગ્રેસ 2 ડઝન જિલ્લા પંચાયતો અને 100 જેટલી તાલુકા પંચાયતોમાં બાજી મારી ગયું હતું જયારે ભાજપ શહેરોની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતવામાં સફળ રહ્યું હતું પણ તેમને આંકડાઓ પ્રમાણે ખુબ નુકશાન થયું હતું. આ સમયે સત્તા પક્ષ ઘણા પરિબળોમાં નબળી પડી રહ્યું છે. સૌપ્રથમ તો કોરોના મુદ્દે સરકારનું પ્રદર્શન નિરાશાજનક રહેતા અને ગુજરાતમાં લોકડાઉન હોવા છતાં કોરોનાના કેસ અને મૃત્યુદર કાબૂમાં ન આવવાથી લોકોમાં નારાજગી પ્રવર્તી રહી છે.
બીજું કારણ એવું છે કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોમાં આર્થિક સંકટને કારણે ઘણી મુશ્કેલીઓ વધી રહી છે જેની સામે સ્થાનિક, રાજ્ય કે કેન્દ્ર સરકારે કોઈ સંતોષજનક રાહત પેકેજ આપ્યા નથી તેથી લોકોનો રોષ ભભૂક્યો છે તેવા સમાચાર છે. પક્ષના એક નેતાએ સરકારની કહ્યું છે કે મહામારીએ અર્થતંત્રની કમર તોડી નાખી છે. MSMEને પ્રતિકૂળ અસરો પહોંચી છે, લોકો તેમની નોકરી ગુમાવી ચુક્યા છે, પરપ્રાંતિય શ્રમિકો તેમના વતન પહોંચી ગયા છે અને અર્થતંત્ર ફરી પાટે ક્યારે ચડશે તે કોઈ જાણતું નથી આથી થોડા મહિના માટે આ મુશ્કેલ સંજોગોમાં ચૂંટણી કેવી રીતે ગોઠવવી એ એક પડકાર છે.