વિચારણા / મોટા સમાચારઃ અમદાવાદ બાદ 3 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવાઇ શકે છે, હાઈપાવર કમિટી લેશે નિર્ણય

Ahmedabad Surat Rajkot Vadodara night curfew may be extended

રાજ્યના મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ બાદ 3 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવાઈ શકે છે. કોરોનાની સ્થિતિને લઇને હજુ પણ સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ યથાવત્ રહી શકે છે. હાલ કોરોના વેક્સિનના આવવાના સંકેત મળી રહ્યા છે ત્યારે આ વેક્સિનેશન પહેલા રાત્રિ કર્ફ્યુ લંબાવવામાં આવી શકે છે. જોકે હજુ સુધી આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આજે રાજ્ય સરકારની ઉચ્ચસ્તરીય બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ