રાજ્યના મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ બાદ 3 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવાયો છે. કોરોનાની સ્થિતિને લઇને હજુ પણ સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ યથાવત્ રાખવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, એક પત્રકાર પરિષદને સંબોધન કરતા રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી નવો નિર્ણય ન આવે ત્યાં સુધી રાત્રિ કર્ફ્યુ 4 મહાનગરોમાં યથાવત રહેશે.
અમદાવાદ સહિત 4 મહાનગરોમાં રાત્રિ કરફ્યું લંબાવાયો
DGP આશિષ ભાટિયાએ કરી જાહેરાત
નવો નિર્ણય ન આવે ત્યા સુધી યથાવત રહેશે કર્ફ્યુ
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વધતા કોરોના વાયરસના સંક્રમણને લઇને રાજ્યના 23 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી 4 મહાનગરો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યું હતો જેની અવધિ આજે પૂર્ણ થઇ રહી છે તે પહેલા ગઇકાલે અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ લંબાવવામાં આવ્યો હતો અને અન્ય 3 મહાનગરોમાં નાઇટ કર્ફ્યુ અંગે હાઈપાવર કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને અંતે આજે રાત્રિ કર્ફ્યુ લંબાવવાની જાહેરાત રાજ્યના પોલીસ વડા દ્વારા કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં 31 ડિસેમ્બર સુધી રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશેઃ અમદાવાદ પોલીસ કમિશનર
કોરોનાની સ્થિતિને લઇને અમદાવાદ શહેરમાં રાત્રિ કર્ફ્યુ યથાવત્ રહેશે. આ અંગે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે. અમદાવાદમાં 31 ડિસેમ્બર સુધી રાત્રિ કર્ફ્યૂ લંબાવાયુ છે. આજે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પણ જણાવ્યું હતું કે, અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ યથાવત્ રહેશે. મહત્વનું છે કે, અમદાવાદમાં આવતીકાલે રાત્રિ કર્ફ્યુ પૂર્ણ થવાનું હતું. જોકે તેના એક દિવસ પહેલા જ શહેર પોલીસ કમિશનર દ્વારા કર્ફ્યુ યથાવત્ રાખવાની જાહેરાત કરી દેવામાં આવી છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2 લાખ 20 હજાર 168 કેસ અને 4095 દર્દીના મોત
સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2 લાખ 20 હજાર 168 કેસ નોંધાયા છે તો રાજ્યમાં અત્યાર સુધીમાં 82 લાખથી વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે તો 2,01,580 દર્દીઓ સાજા થયા છે અને મૃત્યુઆંક 4095એ પહોંચ્યો છે.
ખેડૂત આંદોલનને લઇને પણ આપ્યું નિવેદન
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જણાવ્યું હતું કે, ભારત બંધ દરમિયાન ગુજરાત બંધ નહીં રહે. ત્યારે હવે આ મામલે ગુજરાતના GDP આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, કાલે ગુજરાત પોલીસે પુરતો બંદોબસ્ત ગોઠવ્યો છે. અનિશ્ચિનિય બનાવ ન બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લા બોર્ડર પર ચેકપોસ્ટ ઉભી કરાઇ છે. જિલ્લા SP અને કમિશનર સુચના આપવામા આવી છે. સિનિયર અધિકારી પેટ્રોલિંગ કરશે. વધારાના બંદોબસ્ત ગોઠવણ કરવામાં આવી છે. પોલીસને સ્ટેન્ડબાય રહેવાના આદેશ આપી દેવાયા છે. દરેક વિસ્તારમાં તકેદારી રાખવામા આવી રહી છે. સંવેદનશીલ વિસ્તાર પર ચાપતી નજર રહેશે. ખુલ્લી APMCમાં પણ બંદોબસ્ત આપવામાં આવશે.
PCR વાન સ્થળ પર જઇ કાર્યવાહી કરશેઃ આશિષ ભાટિયા
તમામ જનાતને ભેગા ન થવાનું સૂચન કરવામાં આવ્યું છે. DGPએ જણાવ્યું કે, સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પેટ્રોલીંગ કરવામાં આવશે. PCR વાન સ્થળ પર જઇ કાર્યવાહી કરશે. IPC, બોમ્બે પોલીસ એક્ટ, એપીડેમિક એક્ટ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત પણ કાર્યવાહી કરવામાં આવશે. અસામાજિક તત્વોની રાતથી જ ધરપકડ કરવામાં આવશે.