નિર્ણય / અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવાયો, DGP આશિષ ભાટિયાએ કરી જાહેરાત

Ahmedabad Surat Rajkot Vadodara night curfew extended says dgp ashish bhatia

રાજ્યના મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ બાદ 3 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવાયો છે. કોરોનાની સ્થિતિને લઇને હજુ પણ સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ યથાવત્ રાખવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, એક પત્રકાર પરિષદને સંબોધન કરતા રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી નવો નિર્ણય ન આવે ત્યાં સુધી રાત્રિ કર્ફ્યુ 4 મહાનગરોમાં યથાવત રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ