અમદાવાદના કુબેનગર વિસ્તારમાં એક અઠવાડિયા પહેલા એક યુવકે આપઘાત કર્યો હતો. આ મામલે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. સ્યુસાઈડ કરનાર યુવક પાસેથી પોલીસને એક નોટ મળી આવી હતી. પોલીસે નોંધાયેલી ફરિયાદ તેમજ સ્યુસાઇડ નોટના આધારે એક આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદમાં યુવકનો આપઘાત કરવાનો મામલો
મૃતક પાસેથી પોલીસને મળી હતી સ્યુસાઈડ નોટ
મનીષ રામંચદાણી અને ભરત સોનીનો સ્યુસાઈડ નોટમાં નામ
પોલીસને મળી હતી સ્યૂસાઇડ નોટ
શહેરના કુબેરનગર વિસ્તારમાં ગયા અઠવાડિયાએ મુકેશ ખત્રી નામના યુવકે આપઘાત કર્યો હતો. જેમાં સ્યૂસાઇડ કરનાર યુવક પાસેથી પોલીસને એક નોટ મળી આવી હતી. જો કે આ મામલે સરદાર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ છે. જેમાં બે શખ્સોના નામ હતા. જેમાંથી પોલીસે એકની ધરપકડ કરી.
મૃતકે સ્યૂસાઇડ નોટમાં બે શખ્સનો કર્યો હતો ઉલ્લેખ
અમદાવાદના કુબેરનગરમાં એક અઠવાડિયા પહેલા યુવકે કરેલા આપઘાતમાં પોલીસને સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. જેમાં બે શખ્સના નામ સામે આવ્યા હતા. જેમાં મનીષ રામચંદાણી અને ભરત સોનીના નામનો સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક વ્યક્તિ પોલીસ પકડથી હજી પણ દૂર છે.
સ્યૂસાઇડ નોટમાં કારણ આવ્યું સામે
પોલીસને મૃતક પાસેથી જે સ્યૂસાઇડ નોટ મળી આવી છે તેમાં મૃતક યુવકે મનિષ રામચંદાણી અને ભરત ઉર્ફે ચિન્ટુ સોની પાસેથી 10 ટકાના વ્યાજથી રૂપિયા લીધા હતા. જેને લઇને આ બન્ને શખ્સ ઘણા સમયથી દબાણ કરી રહ્યાં હતા અને વારંવાર ધાક-ધમકીઓ આપી રહ્યા હતા. જેના કારણે યુવકે સ્યૂસાઇડ કર્યું હોવાનું નોટમાં ઉલ્લેખ કરાયો છે. આ મામલે પરિવારે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.