અમદાવાદ: સોમવારથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે.તેવા સમયે જ સમયે મેઘાણીનગરની ન્યૂ નવચેતન સ્કૂલના વિદ્યાર્થીઓ રઝડી પડયા છે.આ સ્કૂલના ધોરણ 10 ના 32 વિદ્યાર્થીઓ આ વર્ષે પરીક્ષા જ નહીં આપી શકે.
કારણ કે આ શાળાને ધોરણ 9 અને 10ની મંજૂરી જ મળી ન હોવાનો ખુલાસો થયો છે.શાળાને મંજૂરી ન હોવા છતાં શાળા દ્વારા ફી ઉઘરાવવામાં આવી હતી.તો શાળાને મંજૂરી ન હોવાથી બોર્ડે વિદ્યાર્થીઓને ગેરલાયક ઠેરવ્યા છે.
પરીક્ષાના સમયે જ આ પ્રકારનો ખુલાસો સામે આવતા વિદ્યાર્થીઓની સાથે-સાથે વાલીઓ પણ મંજાયા છે.ખુલાસો સામે આવતા જ વાલીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ બોર્ડની કચેરીએ પહોંચ્યા હતા.જોકે આ રીતે વિદ્યાર્થીઓના ભાવી સાથે ખીલવાડ કરવાનો હક કોણે શાળા સંચાલકોને આપ્યો તે એક મોટો સવાલ છે.
શાળાને મંજૂરી જ મળી ન હતી તો પછી અત્યાર સુધી વાલીઓને ભરમમાં કેમ રાખ્યાં.માત્ર રૂપિયાની લાલચે વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા કરાયા..? વિદ્યાર્થીઓનું ભાવિ બગડવા પાછળ કોણ જવાબદાર..?આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.ત્યારે આશા રાખીએ કે આ મુદ્દે શિક્ષણ બોર્ડ કોઈ પગલા ઉઠાવે જેથી આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે અને તેમનું ભાવિ ન બગડે.