અમદાવાદ: દલિતો પર થઈ રહેલા અત્યાચારના પગલે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ભાજપના નેતાઓ સામે ચીમકી ઉચ્ચારી છે. જેના પગલે પોલીસ વડા શિવાનંદ ઝાએ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને 14 એપ્રિલે હેડ ક્વાર્ટર ન છોડવાના આદેશ આપ્યા છે. આ સાથે જ એવું પણ સૂચન કર્યું છે કે અનિવાર્ય સંજોગો વગર કોઈપણ અધિકારીને રજા પણ ન આપવી.
આપને જણાવી દઈએ કે દલિત નેતા અને અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ભાજપના નેતાઓ સામે ચીમકી ઉચ્ચારી છે કે 14 એપ્રિલે એક પણ ભાજપના નેતાઓને તે બાબા સાહેબને સ્પર્શવા પણ નહીં દે અને ભાજપનો રાજ્યભરમાં વિરોધ કરશે. જેના પગલે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને સતર્ક રહેવા આદેશ આપવામાં આવ્યા છે.
આપને જણાવી દઇએ કે આ પહેલા પણ દલિત ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ગુજરાત રાજ્યમાં ધારાસભ્ય પદ મળ્યા પહેલા અને પછી ભાજપ સરકારનો અનેક રીતે વિરોધ કર્યો છે ધારાસભ્ય બન્યાના એક જ દિવસમાં મોડી રાતે અમદાવાદના એક પોલીસ મથકનો ઘેરાવ કરીને ઠેર-ઠેર ચાલતા દારૂના અડ્ડા બંધ કરવવા માગ કરી હતી.
ત્યારે આજે ફરીવાર મેવાણીએ રાજ્ય સરકાર સામે એક ચીમકી ઉચ્ચારી છે અને આગામી 14 એપ્રિલના રોજ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને કોઇ BJP નેતાનો સ્પર્શ નહીં કરવા દેવાનું જણાવેલ છે.