મા કોઈની મરશો નહીં. એમ ને એમ નથી કહેવાયું. જેથી મા તે માં બાકી બધાં વગડાનાં વા અને જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. પંક્તિએ માતાનો અપાર મહિમા કર્યો છે. કહેવાય છે ને કે જ્યાં સુધી સંતાનોની માતા જીવતી હોય છે ત્યાં સુધી સંતાન કોઈ પણ ઉંમરનું હોય પરંતુ તેની માતા તેની કાળજી લીધાં વગર રહી શકતી નથી.
મધર્સ ડેએ માતા અને પુત્રનો એક કરૂણ કિસ્સો સામે આવ્યો છે. પોતાની ઘરડી માતાને પોતાની સેવાથી મુક્તિ અપાવવા માટે પુત્રે સરકાર પાસે ઈચ્છામૃત્યુની માગણી કરી છે. જો કે, માતાને આ વાતનો અણસાર સુદ્ધા નથી. તેને તો તેનાં પુત્રને જલ્દી દોડતો કરવો છે. મધર્સ ડે પર સાંભળીએ માતા-પુત્રનાં આ અનોખા પ્રેમની સંવેદના.
મમતા જ કહે છે કે મા એટલે મા બાકી બધા વગડાનાં વા. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મા શબ્દ એક અક્ષર નથી. પરંતુ તે વાત્સલ્ય, પ્રેમ અને કરૂણાનો ભંડાર છે. તે આ માને જોઈને સમજી શકાય છે. ઘડપણની અવસ્થામાં દીકરો માતાની લાઠી બની સહારો બનતો હોય છે. પરંતુ અહીં એક માતા બની છે દીકરાની લાઠી. માતા કરી રહી છે દીકરાની ચાકરી.
વાત છે ખોખરા વિસ્તારમાં રહેતા રવિભાઈ નાગરની. છેલ્લાં 13 વર્ષથી રવિભાઈ એક એવી બીમારીનો ભોગ બન્યાં છે જેનો કોઈ ઈલાજ નથી. તે પથારીવશ છે. ના તેમનાં પગ ચાલે છે. ના તો તેમનાં હાથ કામ કરે છે. તેમનાં હાથ-પગ હવે તેમની માતા લીલાબેન છે. 88 વર્ષનાં લીલાબેન રવિભાઈની દૈનિક ક્રીયાઓની સાથે તેમની કાળજી રાખે છે. ઘડપણમાં માતાની હાલત જોઈને રવિભાઈ હારી ગયાં અને તેમણે સરકાર પાસે ઈચ્છામૃત્યુની માંગ કરી.
રવિભાઈ 22 વર્ષની ઉંમરથી કંઇક વિચિત્ર બીમારોનો ભોગ બન્યાં છે. વલસાડમાં રહેતા રવિભાઈને સીડીઓ ચઢવામાં તકલીફ થવા લાગતાં તેમણે કોઈ રોગ થયો હોવાનું સામે આવ્યું. તેમણે ન્યુરોલોજીસ્ટ, આયુર્વેદીક, ફિઝીયોથેરાપી, એલોપેથી અને માલીસ દ્વારા પણ નિદાન કરાવ્યું. પરંતુ કોઈ ઈલાજ કારગત આવ્યો નહીં અને પથારીવશ જ રહેવાં લાગ્યાં.
દીકરો પથારીવશ થયો પણ માતાએ દીકરાને બેઠો કરવાની આશા ન હોતી ગુમાવી. પરંતુ પુત્ર જરૂર હારી ગયો. તેનાંથી હવે માતા દ્વારા થતી વર્ષોથી પોતાની ચાકરી જોઈ શકાતી ન હતી. પોતાની સેવામાંથી માતાને છુટકારો આપવા માટે રવિભાઈને ઈચ્છામૃત્યુનો વિચાર આવ્યો અને મધર્સ ડેએ જ પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, રાજયપાલ અને મ્યુનિસિપલ કમિશ્નરને ઈચ્છામૃત્યુની પરવાનગી માંગતી અરજી કરી.
પરંતુ હજુ સુધી કોઈનાં તરફથી જવાબ મળ્યો નથી. દીકરાની ઈચ્છામૃત્યુથી અજાણ માતા સતત તેનાં આંસુ લુછી રહી છે. ત્યારે કદાચ તમારી આંખનાં ખૂણા જરૂર ભીના થઈ ગયાં હશે. પરંતુ તંત્રનાં કઠોર હૃદય પર હજુ સુધી આની કોઈ અસર થઈ નથી.
પ્રેમ, કરૂણા અને વાત્સલ્યની મૂર્તી એટલે મા. માતાની સેવા નહીં કરનાર લાચાર પુત્ર પોતાની બીમારીથી હારીને ઈચ્છામૃત્યુ તો માંગી રહ્યો છે. પરંતુ ઘડપણમાં પણ માની મમતા હજુ હારી નથી. તે પોતાનાં દીકરાની સલામતીને લઈને દુઆ કરી રહી છે. ત્યારે શું આ દીકરાની બીમારીનો ઈલાજ કરાવીને તંત્ર રવિભાઈને નવજીવન આપશે કે તંત્ર બહેરૂ બનીને આંખ આડા કાન કરશે.