ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં આવેલ સોલા-સિવિલ હોસ્પિટલના 150થી વધુ ઇન્ટર્ન ડૉકટર્સ દ્વારા કલેકટરને રહેવા અને આઇસોલેટેડ થવા કોઇ વ્યવસ્થા ન હોવાની રજૂઆત કરવામાં આવી છે.
અમદાવાદ કલેકટર કચેરી ખાતે ઈન્ટર્ન ડૉકટર્સનો વિરોધ
150થી વધુ ઈન્ટર્ન ડૉકટર્સે કલેકટરને રજૂઆત કરી
રહેવા અને આઈસોલેટેડ થવા કોઈ વ્યવસ્થા ન હોવાની રજૂઆત
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાની સારવાર લઇને વારંવાર દર્દીઓ તેમજ કોરોના વૉરિયર્સ દ્વારા આ અંગે ફરિયાદો જોવા મળે છે. જેમાં આજરોજ અમદાવાદ શહેરમાં આવેલ સોલા સિવિલના 150થી વધારે ઇન્ટર્ન ડૉકટર્સ દ્વારા આઇસોલેટ થવા માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાને લઇને વિરોધ દર્શાવામાં આવ્યો.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના ઇન્ટર્ન ડોક્ટર્સને પ્રાથમિક સુવિધા ન મળતા આ મુદ્દે ક્લેક્ટર કચેરી પહોંચીને વિરોધ કર્યો છે. ઇન્ટર્ન ડોક્ટર્સને આઇસોલેટ થવા માટે યોગ્ય વ્યવસ્થાન ન મળતા આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. સોલા સિવિલના 150 થી વધુ ડોકટરો કલકેટર કચેરી પહોંચ્યા હતા અને પ્રશ્નોની રજૂઆત કરી હતી