હજુ અમદાવાદના બોપલમાં ટાંકી ધરાશાયી થતા ત્રણ લોકોના મોત થયાના ઘા રુજાયા નથી ત્યાં ફરી નિકોલ વિસ્તારમાં ભોજલધામ સોસાયટીની બાજુમાં આવેલી નિર્માણધીન પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. જેમાં 8 મજૂરો દટાયા હતા. જેને રેસ્ક્યૂ કરાયા છે. જેમાંથી છ ગંભીર છે જ્યારે બે સુરક્ષિત છે.