અમદાવાદમાં કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગના પડઘા નેશનલ લેવલે પડ્યા હતા જેમાં ટ્ર્સ્ટી ભરત મહંતની ધરપકડ કરવામાં આવી હતી. ગઈકાલે તેમની ધરપકડ થઈ અને આજે તેમને જામીન પણ મળી ગયા હતા.
શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડનો મામલો
આરોપી ભરત મહંતનો જામીન પર છુટકારો
15 હજારના બોન્ડ પર ભરત મહંતને મળ્યા જામીન
પોલીસે 5 દિવસના રિમાન્ડની કરી હતી માંગ
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ મામલે મુખ્ય ટ્રસ્ટીની ધરપકડ બાદ જામીન પર છુટકારો થયો છે. મુખ્ય ટ્રસ્ટી ભરત મહંતનો જામીન પર છુટકારો થયો છે. ભરત મહંતને 15 હજારના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. પોલીસે 5 દિવસના રિમાન્ડની માગણી કરી હતી
ગઇકાલે ભરત મહંતની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે એફએસએલ અને ફાયર વિભાગના રિપોર્ટ બાદ ફરિયાદ દાખલ કરીને ટ્રસ્ટી ભરત મહંતની ધરપકડ કરી હતી. મહત્વનું છે કે શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડમાં 8 દર્દીઓના મૃત્યુ થયા હતા.
નોંધનીય છે કે અમદાવાદમાં લાગેલી આગની ઘટનાથી ન માત્ર ગુજરાત પરંતુ આખો દેશ હચમચી ઉઠ્યો હતો. નિર્દોષ લોકો માટે કાળ બનેલી આગ પાછળ બેદરકાર લોકોને સજા આપવા માંગ ઉઠી રહી હતી ત્યારે હોસ્પિટલની બેદરકારીનો રિપોર્ટ સામે આવી હતી. NOC નહીં લીધી હોવાથી ફાયર સેફ્ટીની ચકાસણી કરવામાં આવી ન હતી. હોસ્પિટલના ICUમાં બે બારી બંધ હોવાથી ધુમાડો બહાર નિકળી શક્યો નહતો. બન્ને બારીઓને સ્ક્રુથી ફિટ કરેલી હતી જેથી વેન્ટિલેશન ન મળતાં ધુમાડો થયો અને દર્દીઓ ગૂંગળાઇ ગયા હતા.
ફાયર એલાર્મ પણ ન હોવાથી આગ ના કારણે લોકોના જીવ ગયા. ફાયર એલાર્મ હોત તો રેસ્ક્યુની કામગીરી ઝડપથી થઈ શકી હોત. હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી પરંતુ ચકાસણી કરવામાં આવી નહતી. AMC અને ફાયર વિભાગના અધિકારીઓ પણ બેદરકાર રહ્યાં હતા. પોલીસે AMC અને ફાયરબ્રિગેડની બેદરકારી અંગે અહેવાલ માંગ્યો હતો. આ તમામ ખામીઓ દર્શાવી મુખ્ય ટ્રસ્ટી પાસે વહીવટ હોવાથી તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે, શ્રેય હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી હતી. ઘટનાના 5 દિવસ સુધી અલગ-અલગ નિષ્ણાંતોના અભિપ્રાય અને FSL રિપોર્ટની રાહ જોતી પોલીસે અચાનક જ બી ડિવિઝન SP એલ.બી.ઝાલાને ફરિયાદી બનાવી ટ્રસ્ટી ભરત મહંત સામે ફરિયાદ નોંધી હતી.