અમદાવાદના શાહપુરમાં શુક્રવારે સાંજે બનેલી પોલીસ પર પથ્થર મારાની ઘટનાએ સમગ્ર પોલીસ તંત્રમં હાહાકાર મચાવી દીધો છે. બે હજારથી વધુ લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને પોલીસ જવાનો ઘાયલ પણ થયા હતા. જો કે આ મુદ્દે 17 લોકોની ધરપકડ થઈ છે. અને DCP ધર્મેન્દ્ર શર્માએ VTVના રિપોર્ટરને આ ઘટના અંગે માહિતી આપતાં કહ્યું કે શાહપુરના પથ્થરમારાની ઘટના પૂર્વ આયોજીત કાવતરૂ હતુ અને આ ઘટના પાછળ કોઈ માસ્ટર માઈન્ડ હોવાની પણ સંભાવના છે.
DCP શર્માએ કહ્યું ઘણા દિવસથી શાહપુરમાં નવાજુની થવાની ગંધ હતી
પોલીસ કો જીન્દા જાને નહીં દેને કા’ના નારા પૂર્વ આયોજિત કાવતરાની નિશાની
યુવકોએ ચિસો પાડી ને 2 હજારનું ટોળું ભેગું થઈ ગયુંઃ DCP
શાહપુરની ઘટનામાં PI આર કે અમીન સહિત અન્ય કેટલાક જવાનો ઈજાગ્રસ્ત પણ થયા હતા. આ સમગ્ર ઘટના અંગે વાત કરતાં અમદાવાદ ઝોન-2ના DCP ધર્મેન્દ્ર શર્મા કહે છે કે, શાહપુર અડ્ડા પર આવેલા ડોડીયાવાડના નાકાની અંદર બે ત્રણ યુવકો ભેગા થઇને બહાર બેઠા હતા. ત્યારે ફુટ પેટ્રોલીંગ કરતા શાહપુર પોલીસ સ્ટેશનના PI આર.કે.અમીન સહિતની ટીમે તેમને લોકડાઉનનું પાલન કરવાનું કહેતા મામલો બિચક્યો હતો. બહાર બેઠેલા યુવકોએ ચિંસો પાડીને લોકોને બોલાવી લીધા હતા અને એકાએક પથ્થરમારો શરુ કરી દીધો હતો. જોત જોતામાં બે હજાર લોકોનું ટોળું એકઠું થઈ ગ્યું હતું.
પોળના લોકોએ પણ પથ્થરમારો કર્યો હતો
જો કે પોલીસ જવાનોએ સમય સુચકતા વાપરી ને જાહેર રોડ પર આવી ગઇ હતી ત્યારે અચાનક ડોડીયાવાડ તથા સગરવાડાની પોળ અને રાજાજીની પોળના સ્થાનિકોએ પથ્થરમારો શરુ કરી દીધો હતો. આ ઉપરાંત ટોળું પથ્થર મારો કરી રહ્યું હતું ત્યારે સ્થાનિકો એવું પણ બોલતાં સંભળાયા કે ‘હરરોજ પોલીસ આકે હેરાન પરેશાન કરતી હે આજ પોલીસ કો સબક શીખાના હે ઓર આજ પોલીસ કો જીન્દા જાને નહી દેનેકા હે ’ આ સાથે બે હજાર લોકો પાસે આટલાં બધા પથ્થરો ક્યાંથી આવ્યા. લોકડાઉન હતું તો લોકો પાસે ઘરમાં પથ્થર આવ્યા ક્યાંથી.
ઘણાં દિવસથી સ્થાનિકો તંત્રના અધિકારીઓ સાથે નાની-મોટી બબાલ કરતાં હતા
DCP શર્માના કહેવા મુજબ શાહપુરમાં છેલ્લા ધણા દિવસોથી મામલો ગરમાય તેવી ગંધ પોલીસને આવી ગઇ હતી. છેલ્લા 4-5 દિવસોથી સ્થાનિકો કોઇના કોઇ કારણોસર પોલીસ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સાથે માથાકુટ કરતા હતા. રસ્તો બંધ કરતા અથવા તો પેટ્રોલીંગના મામલે લોકો સરકારી કર્મચારીઓ અને પોલીસ સાથે બબાલ કરતા હતા. જેથી પોલીસને શંકા હતી કે મામલો તંગ થાય તેવી શક્યતા છે.