આજે રાતના 10 વાગ્યાથી અમદાવાદનો શાહીબાગ અંડરબ્રિજ આગામી સાત દિવસ માટે બંધ રહેશે. એટલે કે, આજથી 3 જી જુલાઈ સુધી શાહીબાગ અંડરબ્રિજને બંધ રાખવામાં આવશે.
બંધ રાખવાનું કારણ એ છે કે, અંડરબ્રિજના સમારકામને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી અંડરબ્રિજમાંથી વાહનો પસાર થઈ શકશે નહીં. જેના માટે રાજસ્થાન હોસ્પિટલ તરફના માર્ગનો ઉપયોગ કરવો પડશે.
એક સપ્તાહ સુધી વાહન વ્યવહારને અન્ય માર્ગ પર ડાયવર્ટ કરાશે. જોકે, શાહીબાગ અંડરબ્રિજ બંધ રહેતા વાહનચાલકોને હાલાકી ચોક્કસ પડશે, પરંતુ સમારકામના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.