વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા 20 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ અને સુરતમાં બ્લાસ્ટના કાવત્રાના 77 આરોપીઓ સામેના કેસમાં 14 વર્ષે ફાઈનલ દલીલો પૂરી થયા બાદ આજે આ મામલે સુનવણી હતી. પરંતુ તે ચુકાદાને હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે. આ અંગે સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટના 77 આરોપીઓ સામેના કેસમાં 14 વર્ષે ફાઈનલ દલીલી પૂર્ણ થઈ હતી.જેની આજે સુનવણી હતી. પરંતુ હવે સ્પેશીયલ કોર્ટે નિર્ણય લીધો છે. આ કેસનો ચુકાદો આગામી ફેબ્રુઆરી મહિનામાં સંભળાવવામાં આવશે બીજી તરફ અન્ય રાજ્યોની જેલમાં રહેલા યાસીન ભટ્ટકલ સહિતના આરોપીઓને સામેનો કેસ ભેગો કરવા માટે તપાસનીશ એજન્સી દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ કેસમાં કાવતરા અને બ્લાસ્ટના આરોપી અયાઝ સૈયદ તાજના સાક્ષી બનીને કોર્ટમાં જુબાની આપી હતી.
વીડિયો કોન્ફરન્સની કોર્ટમાં ચાલી રહી હતી સુનવણી
ઉલ્લખેનીય છે કે, કોરોના કહેરના કારણે કોર્ટો બંધ હોવાથી બ્લાસ્ટ કેસમાં સુનાવણી બંધ રહી હતી. જો કે, વીડિયો કોન્ફરન્સથી કેસ શરૂ કરવામાં આવી હતી.જેમાં આરોપીઓના બાકીની જુબાની લેવામાં આવી છે. આ કેસમાં દરેક આરોપીઓનું બાકીની જુબાની 4700 પાનાનું છે.
કેસ શુ હતો.
શહેરમાં 26 જુલાઈ 2008માં થયેલા શ્રેણી બદ્ધ સિરિયલ બ્લાસ્ટમાં 58 લોકોના મોત અને 244 ઘાયલ થયા હતાં. આ મામલે અમદાવાદમાં 20 અને સુરતમાં બોમ્બ મુકીને બ્લાસ્ટ કરવાના ષડયંત્ર મામલે ફરિયાદ થઈ હતી. આમ કુલ 35 કેસો એક સાથે ભેગા કરી દેવામાં આવ્યાં છે. આ કેસમાં 78 આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યાં છે. અને તેમની સામે જુદી જુદી ચાર્જ શીટ પણ કરી છે. જ્યારે 8 આરોપીઓ એવા છે કે, જેને પોલીસ હજુ શોધી રહી છે.