26 જુલાઇ 2008ના દિવસે ધડાધડ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું હતું અમદાવાદ શહેર, પરિવારજનો 14 વર્ષે હજુ પણ ન્યાયની આશા
14 વર્ષે હજુ પણ ન્યાયની આશા
એ પરિવારજનો પર શું વીતતી હશે?
કોઈએ મા ગુમાવી, કોઈએ બાપ
ગણતરીની મિનિટોમાં જ અમદાવાદને લોહિયાળ કરનારી ઘટના ક્યારેય ભૂલી ન શકાય.જે સિરિયલ બ્લાસ્ટના પડઘા આજે પણ અમદાવાદમાં ગુંજી રહ્યા છે 14 વર્ષની કાયદાકીય લાંબી લડત બાદ અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટની સ્પેશિયલ કોર્ટ ચુકાદો આપે તેવી સંભાવના છે ત્યારે આ 14 વર્ષની કાયદાકીય લડત પીડિત પરિવાર ન્યાયની આશા રાખીને બેઠો છે
26 જુલાઇ 2008નો એ દિવસ
26 જુલાઈ 2008માં થયેલા અમદાવાદના સિરિયલ બોમ્બ બ્લાસ્ટને કોઈ ભૂલી શકે?.આ બ્લાસ્ટને આજે પણ યાદ કરીએ તો આંખમાંથી આંસુ સરી પડે છે.ત્યારે એ પરિવાર પર શું વીતતી હશે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે.14 વર્ષ પછી પણ પરિવારજનોને ન્યાયની આશા જીવંત દેખાઈ રહી છે.અમદાવાદના અસરવામાં રહેતા વ્યાસ પરિવાર ચુકાદા અને ન્યાય પાલિકા પર આશા રાખીને બેઠો છે.સિવિલ બ્લાસ્ટમાં આ પરિવારે 8 વર્ષનો ભાઈ રોહન વ્યાસ અને પિતા દુષ્યંત વ્યાસને ગુમાવ્યા હતા.
14 વર્ષે હજુ પણ ન્યાયની આશા
અમદાવાદ સિવિલમાં સૌથી મોટો બ્લાસ્ટ થયો હતો.જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. પહેલો બ્લાસ્ટ સિવિલ હોસ્પીટલના ટ્રોમાં સેન્ટર માં થયો હતો.આ સમાચાર સાંભળતા જ અનેક સેવાભાવી લોકો સેવા માટે સિવિલમાં દોડી ગયા હતા.પણ આ સેવાભાવી લોકો માટે આ સેવા અંતિમ સેવા બની રહી હતી.શહેરના અસારવા વિસ્તારમાં રહેતા પટેલ પરિવારના જસવંત પટેલ સેવા કરવા ગયા અને ત્યાં જ તેમણે પોતાનો જીવ ગુમાવ્યો.પરિવારે શું જોયું તે સાંભળો.
ધડાધડ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું હતું શહેર
અમદાવદા માં અલગ અલગ 10થી વધુ સ્થળે બ્લાસ્ટ થયા હતા.જેમાં સિવિલ હોસ્પિટલ પણ બાકાત ન હતી.એલ.જી.હોસ્પિટલ અને સિવિલ હોસ્પીટલમાં થયેલા બ્લાસ્ટને કારણે દર્દીઓ હોસ્પીટલમાં સારવાર લેવા જવામાં પણ ડરતા હતા.તે સમયે અમદાવાદ સિવિલ હોસ્પીટલના સુપ્રીમટેન્ડ એમ.એમ.પ્રભાકરના હતા.
જ્યારે અમદાવાદ ધ્રુજી ઉઠ્યું ત્યારે અનેક પ્રત્યક્ષ દર્શીઓમાં એક હતા હાલના કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર.તેઓ પણ સેવા કરતા ઈજાગ્રસ્ત થયા હતા.ત્યારે તેમને એટલી ગંભીર ઈજાઓ થઈ હતી કે તેમને પગ કપાવવો પડે તેમ હતો.પરંતુ સદનસીબે તત્કાલિક સારવારને કારણે પગ બચી.પણ તેઓ લાંબો સમય સુધી પથારીવશ રહ્યા હતા.26 જાન્યુઆરી 2008ના દિવસે બનેલી આ ઘટનાને ક્યારેય ભૂલી શકાય તેમ નથી.હવે આપણે સૌ ન્યાયતંત્ર પર આશા રાખીએ કે પીડિતોને ન્યાય મળે અને આના અપરાધિઓને કડકમાં કડક સજા થાય.