અમદાવાદઃ એરપોર્ટને બોંબ ડિસ્પોઝલ સ્કવોડ મળ્યું છે. ઈમરજન્સી અને એલર્ટનાં સમયે બોંબ ડિસ્પોઝલ સ્કવોડની મદદ મળશે. બોંબ ડિસ્પોઝલ સ્કવોડની ટીમ 24 કલાક એરપોર્ટ પર તૈનાત રહેશે અને ઈમરજન્સી કે એલર્ટ સમયે તેની મદદ લઈ શકાશે. સાથે બોંબ ડિસ્પોઝલ વેસેલ્સ અને અન્ય સામગ્રી પણ ફાળવવામાં આવી છે. હાલમાં એરપોર્ટની સિક્યોરિટી CISFને સોંપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં ક્યારેક થતી આતંકવાદની દુર્ઘટનાને લઇને મોટે ભાગે પોલીસ સાવચેત રહેતી હોય છે. ત્યારે મહત્વનું છે કે અમદાવાદમાં 26 જુલાઈ 2008નાં રોજ સિરિયલ બ્લાસ્ટ થયાં હતાં. જેને લઇને સમગ્ર અમદાવાદમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. ત્યારે તંત્ર દ્રારા સમગ્ર શહેરમાં તેમજ રાજ્યભરમાં હાઇ એલર્ટ આપી દેવામાં આવ્યું હતું.
જો કે હવે આવી ઘટનાઓને લઇ રેલ્વે સ્ટેશન એરપોર્ટ તંત્ર પણ હવે ધીમે-ધીમે વિવિધ સુવિધાઓથી સજ્જ થવા લાગ્યું છે. એટલે કે અમદાવાદ એરપોર્ટને હાલમાં બોંબ ડિસ્પોઝલ સ્કવોડ આપવામાં આવેલ છે કે જેને લઇને બોંબ ડિસ્પોઝલ સ્કવોડની ટીમ હવે 24 કલાક એરપોર્ટ પર તૈનાત રહેશે. ઉપરાંત ઇમરજન્સી કે એલર્ટ સમયે તેઓની મદદ પણ લઇ શકાશે.