રાજ્યની એન્જીનિયરિંગ કોલેજો હવે મૃતપાય બનતી જોવા મળી રહી છે. એન્જીનિયરિંગ તરફ વિદ્યાર્થીઓનો ઝુકાવ ધીરે ધીરે ઘટી રહ્યો છે. ત્યારે આ વર્ષે ફરી એકવાર ઈજનેરી કોલેજો ખાલી રહેવાની પ્રબળ સંભાવના છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ થયું જેમાં A ગ્રુપમાં 44 545 વિદ્યાર્થી પાસ થયા છે. જ્યારે રાજ્યમાં ઈજનેરીનો બેઠકો 66059 છે. તો આ વર્ષે એન્જીનિયરિંગમાં પ્રવેશ માટે લાયક બનનારા વિદ્યાર્થીઓની સંખ્યા ગત વર્ષ કરતા 10 હજાર જેટલી ઓછી છે.
જે કારણોસર આ વર્ષે ઈજનરેમાં 38થી લઈ 40 હજાર સુધી બેઠકો ખાલી રહી શકે છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ 34 હજાર જેટલી બેઠકો ખાલી રહી હતી.તો વિદ્યાર્થીઓમાં પણ દિનપ્રતિદિન એન્જીનિયરિંગમાં પ્રવેશ પ્રત્યેનો લગાવ ઘટી રહ્યો છે.
દિનપ્રતિદિન એન્જીનિયરિંગનો લગાવ ઘટતા મોટા ભાગની કોલેજો ખાલી રહે છે. છેલ્લા 5 વર્ષના આંકડા તપાસીએ તો 2013માં 58 961 બેઠકોમાંથી 10 778 બેઠકો 2014માં 71039માંથી 23 079 બેઠકો 2015માં 71829 બેઠકોમાંથી 28102 બેઠકો 2016માં 65947 બેઠકોમાંથી 28 328 બેઠકો અને 2017માં 68 113 બેઠકોમાંથી 34 529 બેઠકો ખાલી રહી હતી.