અમદાવાદની પ્રાથમિક શાળામાંથી વડોદરામાં વિદ્યાર્થીઓ પ્રવાસે આવ્યા હતા. વડોદરામાં રિસોર્ટમાં રાઈડ પર બેઠેલા બાળકનું મોત થયું હતું. વડોદરામાં અમદાવાદના વિદ્યાર્થીના મોતનો મામલે પરિવારજનોએ હવે બાળકનો મૃતદેહ સ્વીકાર કરી લીધો છે. પોલીસે યોગ્ય કાર્યવાહીની બાહેંધરી આપતા પરિવારજનોએ બાળકનો મૃતદેહ સ્વીકાર્યો છે.
રાઇડ અથડાતા બાળકનું મોત નિપજ્યું હતું
વડોદરાના પાદરાના મહી વોટર ગેટ રિસોર્ટમાં આ ઘટના બની
પરિવારજનોએ હવે બાળકનો મૃતદેહ સ્વીકાર્યો
અમદાવાદના ખાનગી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ગઈકાલે પાદરા જંબુસર રોડ પર આવેલી માહી રિસોર્ટ પર પિકનિક મનાવવા પહોંચ્યા હતા. જ્યાં રાઈડમાંથી બાળકે ગરદન બહાર કાઢતા દુર્ઘટના સર્જાઈ હતી. જેને લઈને બાળકને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું બાળકનું મોત થયું હતું.
સમગ્ર મામલે પરિવારજનોએ રિસોર્ટ સંચાલકો પર બેદરકારીના આક્ષેપ કર્યા છે. અમદાવાદની દિવાન બલ્લુભાઇ શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસે વડોદરા ગયા હતા. ત્યારે પાદરાના મહી વોટર ગેટ રિસોર્ટમાં આ ઘટના બની હતી. વિદ્યાર્થીનો મૃતદેહ સયાજી હોસ્પિટલ ખાતે હોવાથી પરિવારના સભ્યો સયાજી હોસ્પિટલ દોડી આવ્યા હતા. પરિવારે શરૂઆતમાં મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
જિનિલના પિતાએ આક્ષેપ કર્યો હતો કે માહી રિસોર્ટની બેદરકારી છે જેના કારણે પોલીસ જ્યાં સુધી નિષ્પક્ષ તપાસ નહીં કરે ત્યાં સુધી મૃતદેહ નહી સ્વીકારીએ. પરંતુ પોલીસ અને રિસોર્ટના મેનેજરની સમજાવટ બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો અને મૃતદેહને અંતિમક્રિયા માટે અમદાવાદ લઇ જવામાં આવ્યો હતો.