હાલમાં જ અમદાવાદની ખાનગી શાળા DPSમાં સ્વામી નિત્યાનંદના આશ્રમનો વિવાદ ચાલે છે. ત્યારે અમદાવાદની જ અંકુર સ્કુલમાં શાળાની જ જગ્યાએ કોલ સેન્ટર ચાલતુ હતુ. જેનો ભાંડો ફુટ્યા બાદ DEO કહે છે, પોલીસનું કામ છે એ કરશે. અમારે કંઈ કરવાનું કહેવાનું રહેતુ નથી.
શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટનાઓમાં DEO કેમ મૌન?
સ્કૂલનું સમયાંતરે નિરીક્ષક દ્વારા ઇન્સ્પેકશન કરાતું હોય છે
અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારીનો ઉડાઉ જવાબ
ખાનગી શાળાઓ છે કે ગેરકાયદે ધંધા ચલાવવાની જગ્યા? તેવા પ્રશ્નો આ DEOના નિવેદનથી ઉભા થઈ રહ્યા છે. અંકુર સ્કૂલમાં ઝડપાયેલા કોલ સેન્ટરનો મામલે મોટા સંકળાયેલા હોવાને કારણે DEO દ્વારા સ્કૂલ અને સંચાલકોને છાવારવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારીનો ઉડાઉ જવાબ
અંકુર સ્કૂલમાં ઝડપાયેલા કોલ સેન્ટરનો મામલે જ્યારે જિલ્લા શિક્ષણાધિકારીને પ્રશ્ન પુછવામાં આવ્યો ત્યારે રિતસર તેમણે આરોપીઓને છાવરવાનો પ્રયાસ કર્યો હતો. તે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લેવાની પેરવી કરી લીધી હતી.
શું આપ્યો જવાબ
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીનો ઉંડાઉ જવાબ આપતા જણાવ્યુ હતુ કે, પોલીસ કેસ થયો હોવાથી અમારે કાઈ કરવાનું રહેતું નથી, આટલુ કહીને જવાબદારીમાંથી જિલ્લા શિક્ષણાધિકારીએ હાથ ખંખેરી નાંખ્યા હતા.
શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટનાઓમાં DEO કેમ મૌન?
શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના બની હોવા છતાં DEO મૌન છે. ઘટના બાદ DEO કચેરીએ પાલડીની અંકુર સ્કૂલને શો કૉઝ નોટિસ ફટકારી હતી. 5 દિવસ થવા છતાં DEO ને સ્કૂલ દ્વારા જવાબ આપવામાં આવ્યો નથી. બીજી બાજુ DPS સ્કુલમાં સ્વામી નિત્યાનંદનો આશ્રમ ચાલતો હતો તે અંગે પણ મૌન સેવાઈ રહ્યુ છે.
શું કહે છે કાયદો
કાયદા મુજબ શિક્ષણ અપાતું હોય ત્યાં કોઈ અન્ય પ્રવૃત્તિ ન થઈ શકે. સ્કૂલ નિરીક્ષકની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્કૂલનું સમયાંતરે નિરીક્ષક દ્વારા ઇન્સ્પેકશન કરાતું હોય છે તો પછી આવી ઘટનાઓ કેમ બને છે.