સરદારનગરમાં દારૂડિયા પુત્ર અને પિતા વચ્ચે થયેલ તકરારમાં ખૂની ખેલ.પિતાએ પુત્રની કરી હત્યા.સમાજમાં દારૂડિયા પુત્રની કુટેવથી બદનામ થતા પિતાએ પુત્રને ફટકાર્યો.પુત્રનું મોત થતા સરદારનગર પોલીસે પિતાની ધરપકડ કરી.
દારૂ પીવાની બાબતનો ઝઘડો ઉગ્ર બન્યો
દ્રશ્યોમાં દેખાતા આ છે કનુભાઈ ભરવાડ.તેઓની હાલ સરદાર નગર પોલીસે હત્યાના ગુનામાં ધરપકડ કરી છે.આરોપી કનુ ભરવાડે અન્ય કોઈની નહિ પણ તેમના જ પુત્ર ભવાન ભાઈ ભરવાડની હત્યા કરી હોવાનો આરોપ છે.આ ઉંમરે સુખના દિવસો પુત્રો સાથે વિતાવવાની જગ્યાએ એક દારૂ પીવાની બાબતમાં ઝગડો થતા પુત્રની હત્યાના ગુનામાં ફસાઈ ગયા અને હાલ આરોપી કનુભાઈ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે.
દારૂબંધી છતાંય કેટલા ઘર ઉજળશે?
મૃતક ભવાન ભાઈ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ ચિક્કાર દારૂ પીવાની ટેવ ધરાવતા હતા. અને પત્ની સાથે મનદુઃખ થતા પત્ની પણ પિયરમાં ગઈ હતી. ગુજરાતમાં નામની દારૂબંધી છે. અને સમાજમાં પણ આ બાબતને લઈ સખ્ત હોવા છતાં મૃતક દારૂ પીવાની લતે ચઢી ગયો હતો અને પિતા સાથે અવાર નવાર ઝગડા કરતો હતો.ગઈકાલે પણ આવું જ કંઈક બન્યું હતું અને પિતાએ ઝગડો થતા પુત્રને ફટકાર્યો હતો.જેથી તેનું મૃત્યુ થયું.
અન્ય પુત્રએ ફરિયાદ નોંધાવી
આ અંગે કનુભાઈ ના બીજા પુત્રએ જ તેમની સામે ફરિયાદ નોંધાવી છે.ત્યારે આ ઘટના બનતા જ ફરિયાદી પુત્રએ પિતાને જેલ હવાલે જોવાનો વારો તો આવ્યો જ પણ ભાઈને ખોવાનો પણ વારો આવ્યો એ પણ એક દારૂની બાબતમાં. ત્યારે દારૂ હકીકતમાં એક દુષણ છે તે ફરીએક વાર આવી ઘટના પરથી સાબિત થાય છે.